રેલ્વે કર્મચારીઓને દુર્ગા પૂજા પહેલા વધેલા ડીએની સાથે બોનસ મળવાનું છે જેના કારણે કર્મચારીઓ પર ધનવર્ષા થશે અને સાથે અન્ય લાભ પણ મળશે.
કર્મચારીઓ પર થશે ધનનો વરસાદ
કર્મચારીઓને દુર્ગા પૂજા પહેલા વધેલા ડીએ સાથે મળશે બોનસ
કર્મચારીઓમાં વહેંચાશે કરોડો રૂપિયા
જો તમે પણ રેલ્વેના કર્મચારી છો તો તમારા માટે સારા સમાચાર છે. હાલમાં ડીએમાં થયેલા વધારાથી રેલ્વે કર્મચારીઓ ખુશ છે. આ કારણે કર્મચારીઓ પર ધન વર્ષા થવાની છે. દુર્ગાપૂજા પહેલા રેલ્વે કર્મચારીઓના ખિસ્સા ફરીથી ભરાશે. દુર્ગાપૂજામાં મળનારા બોનસની ચર્ચા શરૂ થઈ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 78 દિવસનું બોનસ ગણાઈને 17951 રૂપિયા તેમના ખાતામાં જમા થશે.
કર્મચારીઓ પર થશે ધનની વર્ષા
ઉલ્લેખનીય છે કે કર્મચારીઓને બોનસ મળશે અને સાથે જુલાઈનું ડીએ પણ તેમની સેલેરીમાં જોડાઈ જશે. આવનારા પગારમાં બોનસ અને ડીએના વધારાના રૂપિયા મળશે. ઉલ્લેખનીય છે કે રેલ્વે કર્મચારીઓએ હાલમાં 11 ટકા વધેલા બોનસનો લાભ મળશે. કેન્દ્ર સરકારે લાંબા સમયથી રાહ જોઈ રહેલા કર્મચારીઓના ડીએ પર જાન્યુઆરી 2020થી રોક લગાવીને તેને હટાવી દેવાયું હતું. આ પછી 17થી વધીને 28 ટકા સુધી થયું છે. હવે જુલાઈ 2021નું ડીએ 3 ટકા મળવાની શક્યતા છે. તેની સાથે કુલ ડીએ 31 ટકાનું થશે.
કર્મચારીઓમાં વહેંચાઈ જશે કરોડો રૂપિયા
ધનબાદ રેલ્વે મંડળ ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ફેલાયેલું છે. જેમાં 22222 કર્મચારીઓ કામ કરે છે. તહેવાર પહેલા આ દરેક કર્મચારીઓને બોનસનો લાભ મળશે. તેમને 17951 રૂપિયાનું બોનસ મળશે. જે લગભગ 39 કરોડ 90 લાખ રૂપિયાનું થઈ રહ્યું છે. આ સાથે ડીએની રકમ પણ આપવામાં આવશે. ડીએની રકમ કર્મચારી અને અધિકારીના વેતન પર આધારિત રહેશે. એટલે કે દુર્ગા પૂજા પહેલા કર્મચારીઓને મોજ પડી જશે.