કેન્દ્રીય કર્મચારીઓને એક વખત ફરી ખુશખબરી મળી શકે છે. ડિસેમ્બરમાં કેબિનેટ સેક્રેટરીની સાથે 18 મહિનાના DA એરિયર પર ચર્ચા થઈ શકે છે.
મોદી સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય
કેન્દ્રીય કર્મચારીઓને થોડા સમયમાં મળી શકે છે ખુશખબર
જાણો સમગ્ર વિગત વિશે
કેન્દ્રીય કર્મચારીઓને 31% મોંઘવારી ભથ્થાને મંજૂરી મળી ગઈ છે. પરંતુ હજુ પણ એક મોર્ચા પર તેમને નિરાશા મળી છે. કર્મચારીઓના 18 મહિનાના એરિયરને લઈને તેમની આશાઓ હજુ સુધી પુરી નથી થઈ શકી. સરકારે જ્યારે મોંઘવારી ભથ્થાને લઈને એલાન કર્યું હતું તો કહ્યું હતું કે તેમને વધેલું મોંઘવારી ભથ્થુ જ મળશે પરંતુ એરિયર પર સરકારે ઈનકાર કરી દીધો હતો.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી
મહત્વનું છે કે 7th Pay Commission હેઠળ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીને 31 ટકા ડીએ ઉપરાંત ઘણા મોટા ફાયદા આપ્યા છે. પરંતુ ડીએ એરિયરનો મામલો 18 મહિનાથી લટકી રહ્યો છે. નેશનલ કાઉન્સિલ ઓફ જ્વોઈન્ટ કંસલ્ટેટિવ મશીનરી (JCM)ના સચિવ (સ્ટાફ સાઈડ) શિવ ગોપાલ મિશ્રા અનુસાર, કાઉન્સિલે સરકારની સામે માંગ કરી છે કે ડીએ ફરી શરૂ કરતી વખતે 18 મહિનાથી પેંડિંગ ડીએ એરિયરનો પણ વન ટાઈમ સેટલમેન્ટ કરી દેવામાં આવશે. જોકે આશા છે કે ડિસેમ્બરમાં કેબિનેટ સેક્રેટરીની સાથે તેના પર ચર્ચા થઈ શકે છે.
એરિયરનો નિર્ણય હવે પીએમ મોદી કરશે
મહત્વનું છે કે 18 મહિનાના એરિયરનો મામલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચી ગયો છે. હવે પીએમ મોદી એરિયરને લઈને નિર્ણય કરશે. તેનાથી એરિયરને લઈને કેન્દ્રીય કર્મચારીઓની આશા ફરી એક વખત જાગી ગઈ છે. જો પીએમ મોદી 18 મહિનાના એરિયરને લીલી ઝંડી દર્શાવે છે તો તમને જણાવી દઈએ કે લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને ખાતામાં મોટી રકમ આવશે.
હાલ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ વધીને 31 ટકા થઈ ચુક્યો છે. તેનો ફાયદો કેન્દ્ર સરકારને 48 લાખ કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનર્સને મળી રહ્યું છે.
PM મોદીને પેન્શનર્સે લખી ચિઠ્ઠી
ભારતીય પેન્શનર (BMS)એ DA,DRના એરિયરની ચુકવણીને લઈને પીએમ મોદીને ચિઠ્ઠી લખી છે. BMSએ પીએમ મોદીને અપીલ કરી છે કે તે આ મામલામાં હસ્તક્ષેપ કરે. BMSએ અપીલ કરી છે કે તમે નાણામંત્રાલયને એક જાન્યુઆરી, 2020થી 30 જૂન 2021ની વચ્ચે રોકવામાં આવેલા DA/DR માટે એરિયરને જલ્દી જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ વિશે તત્કાલ કાર્યવાહી પર અમે અત્યંત આભારી રહીશું.
પેન્શનર્સનો તર્ક છે કે DA/DR જે સમયગાળામાં રોકવામાં આવ્યા હતા તે સમયે રિટેલ ફુગાવો વધ્યો છે અને પેટ્રોલ-ડીઝલની કિંમત, ખાદ્ય તેલ અને દલહનના ભાવ રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યા છે.
પેન્શનર્સ માટે યોગ્ય નહીં નિર્ણય
DA/DRની ચુકવણી કર્મચારીઓ અને પેન્શનર્સના જીવનખર્ચમાં વધારાની ભરપાઈ કરવા માટે થાય છે. 18 મહિનામાં ખૂબ ઝડપથી વધારો થયો છે. એવામાં આવા સમયગાળાના પૈસા રોકવા કર્મચારીઓ અને પેન્શનર્સના હિતમાં નથી. ચિઠ્ઠીમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોટાભાગના પેન્શનર્સ વધુ ઉંમરના છે. ચિકિત્સા માટે પૈસાની જરૂર હોય છે. સાથે જ કોવિડ-19 સંકટના કારણે મોટાભાગના પેન્શનર્સની ઉંમર એટલી હોય છે કે તે ફક્ત પોતાનું પેટ ભરી શકે છે.