DoPPW દ્વારા જાહેર કરાયેલા નોટીફિકેશન મુજબ જો આ 40 ટકા ભાગમાં કોઈ પણ પ્રકારનો વધારો નોંધાય છે તો વ્યક્તિને કોઈ પણ પ્રકારની નવી એપ્લીકેશન આપવાની જરૂર નથી.
કેન્દ્રીય કર્મચારીઓ માટે કામની વાત
પેન્શન વિભાગે પેન્શન રૂલ્સને લઇને મહત્વની જાણકારી આપી
પેન્શનનો એક ભાગ વિડ્રોલ કર્યો છે તો તેને બીજી વખત મંજૂરી નહીં અપાય
જો તમે કેન્દ્રીય પેન્શનર છો તો આ અહેવાલ તમારા કામનો છે. પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગે કેન્દ્રીય કર્મચારીઓના પેન્શન રૂલ્સને લઇને એક મહત્વની જાણકારી આપી છે. DoPPWએ જણાવ્યું છે કે જો કોઈ કર્મચારી તેના બેસિક પેન્શનનો એક ભાગ વિડ્રોલ કરી લીધો છે તો તેને ફરીથી કોઈ પણ પ્રકારના વિડ્રોલની મંજૂરી મળશે નહીં.
31 ઓક્ટોબરે પેન્શન વિભાગે કરી જાહેરાત
આ મામલે 31 ઓક્ટોબરે પેન્શન વિભાગે એક નોટીફિકેશન જાહેર કરીને આ જાણકારી આપી છે કે કર્મચારીઓને માત્ર એક જ વખત પેન્શન ખાતામાં જમા પૈસાને વિડ્રોલ કરવાાની મંજૂરી મળે છે. સિવિલ સર્વિસિસ રૂલ્સ 1981 મુજબ એકથી વધુ વખત પેન્શનની એકસાથે ચૂકવણી કરવાની મંજૂરી સરકાર આપતી નથી. આ સાથે કોઈ વ્યક્તિ પોતાની કુલ પેન્શનનો 40 ટકા ભાગ એક વખતમાં વિડ્રો કરી શકે છે.
બીજી વખત વિડ્રોલ પર આપી સ્પષ્ટતા
ઘણા સરકારી કર્મચારીઓએ સરકારને આ સવાલ પૂછ્યો હતો કે પેન્શનમાંથી એક વખત એકસાથે ઉપાડ્યા બાદ શુ તેમને બીજી વખત આવુ કરવાની મંજૂરી મળશે? આ મામલે જવાબ આપતા પેન્શન અને પેન્શનભોગી કલ્યાણ વિભાગે જણાવ્યું છે કે એક વખત 40 ટકા સુધીનો વિડ્રોલ કર્યા બાદ તેમને ફરીથી પૈસા કાઢવાની મંજૂરી નહીં મળે. આ સાથે એવી પણ જાણકારી આપવામાં આવી છે કે જો કોઈ પેન્શન ધારકની પેન્શનને રિવાઈઝ કરવામાં આવે છે અને તેમાં 40 ટકા ભાગમાં કોઈ વધારો થાય છે તો બાકી વધેલી રકમ કર્મચારીને મળી જશે. આ સાથે જો કોઈ વ્યક્તિ એક વખત બેસિક પેન્શન રકમનો વિડ્રોલ કરે છે, જે 40 ટકાથી ઓછો છે ત્યારે તેને બીજી વખત વિડ્રોલની મંજૂરી નહીં મળે.