કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર મોંઘવારી ભથ્થું ફરી એકવાર વધવા જઈ રહ્યું છે, રીપોર્ટસ અનુસાર 3 ઓગસ્ટે યોજાનારી કેબિનેટની બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળવાની આશા
મોંઘવારીના ભથ્થામાં થઇ શકે છે 4થી 5 ટકાનો વધારો
નિર્યણ બાદ આ નિયમ 1 જુલાઈ 2022થી લાગુ થશે
રક્ષાબંધન પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર મળવાની આશા છે. સરકાર સાતમા પગાર પંચ DA માં વધારામાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 3 ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં થનારી કેબિનેટની બેઠકમાં આ અંગે જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. વાસ્તવમાં 31 જુલાઈ સુધી AICPIના આંકડા પણ આવી જશે એટલે કે પછી ડીએ વધારા પરથી પણ પડદો ઉઠી જશે.
મોંઘવારી ભથ્થામાં 4થી 5 ટકાનો વધારો થશે
રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં થવાની સંભાવના છે, જેમાં કર્મચારીઓ માટે મોંઘવારી રાહત (ડીએ) પર ચર્ચા વચ્ચે તેને લાગુ કરવામાં આવી શકે છે. આશા છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં 4થી 5 ટકાનો વધારો કરી શકે છે.
મોંઘવારી ભથ્થું વધારીને 39 ટકા કરવામાં આવશે
હાલ મોંઘવારી ભથ્થું 34 ટકા છે. જો સરકાર મિનિમમમાં 4 ટકાનો વધારો કરે છે તો ડીએ ઓછામાં ઓછું 38 ટકા રહેવાની આશા છે. જો સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે તો તેનાથી 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરોને લાભ થશે.
1 જુલાઈથી લાગુ થશે!
જો સરકાર દ્વારા ડીએ વધારવાનો નિર્ણય લેવામાં આવે તો તે 1 જુલાઈ 2022થી લાગુ થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્રીય કર્મચારીઓને વધેલો પગાર અને એરિયર્સ ટૂંક સમયમાં મળી જશે. 18 હજારની બેઝ પ્રાઈસ પર કર્મચારીઓ માટે બે મહિનાની અરીયરની ચૂકવણીની વાત કરીએ તો તે મહિને 19,346 રૂપિયા છે.
મોંઘવારી ભથ્થું 38 ટકા સુધી પહોચી જશે
જો મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થશે તો કેન્દ્રીય કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું 38 ટકા સુધી પહોંચી જશે. હાલ મોંઘવારી ભથ્થું 34 ટકાના દરે ચૂકવવામાં આવી રહ્યું છે. નવા મોંઘવારી ભથ્થાની જાહેરાત ઓગસ્ટ 2022માં કરવામાં આવશે. મોંઘવારી ભથ્થા પર કેન્દ્ર સરકાર કેબિનેટમાં નિર્ણય લેશે. જો કે, તે 1 જુલાઈ, 2022 થી જ લાગુ થશે. જુલાઈ મહિના મુજબ પગાર પણ ચૂકવવામાં આવશે.