1 જુલાઈથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમા વધારાનો ઓર્ડર બહાર પડી ગયો છે તેવો મેસેજ વાયરલ થયા બાદ પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરાયું હતું.
સોશિયલ મીડિયા પર ફેક મેસેજની ભરમાર
વધુ એક ફેક મેસેજ ફેલાયો
1 જુલાઈથી કર્મચારીઓના DA વધારાનો બહાર પડ્યો ઓર્ડર
પીઆઈબીએ ફેક્ટ ચેક કરીને મેસેજને ફેક ગણાવ્યો
સોશિયલ મીડિયાના ફેક મેસેજ સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યાં છે. અવારનવાર કેન્દ્રીય કર્મચારીઓ સંબંધિત ફેક મેસેજ વાયરલ થતા હોય છે અને દર વખતે સરકારે ફેક્ટ ચેક કરીને તેને ફેક જાહેર કરવો પડતો હોય છે.
An order circulating on #WhatsApp claims that the additional installment of Dearness Allowance will be effective from 01.07.2022#PIBFactCheck
ડીએ વધારોનો ઓર્ડર બહાર પડ્યો- વાયરલ મેસેજમાં દાવો
હવે ફરી વાર આવો એક મેસેજ વાયરલ થયો છે જેમાં દાવો કરાયો છે કે 1 જુલાઈ 2022થી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં વધારા માટે ઓર્ડર બહાર પાડી દીધો છે. આ મેસેજ મોટા પ્રમાણમાં વાયરલ થતા સરકાર હરકતમાં આવી હતી અને સરકારની સત્યશોધક કમિટી એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ફેક્ટચેક કરીને સાચી વાત જણાવાઈ હતી.
શું છે વાયરલ પોસ્ટ?
નાણાં મંત્રાલયના વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચરનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિને એ જણાવતા ખુશી થાય છે કે 1 જુલાઈ 2022થી કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 34 ટકાથી વધારીને 38 ટકા કરી દેવામાં આવ્યું છે.
પીઆઈબી ફેક્ટ ચેકમાં મેસેજ ખોટો નીકળ્યો
પીઆઈબીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટને ફેક્ટ ચેક કરી છે અને આ સમાચારને ફેક અને ફેક ગણાવ્યા છે. પીઆઈબીએ કહ્યું છે કે નાણા મંત્રાલયના ખર્ચ વિભાગના નામથી એક નકલી આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં 1 જુલાઈ 2022થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થાનો વધારાનો હપ્તો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ મેસેજ ફેક છે અને સત્ય સાથે તેને કંઈ લેવાદેવા નથી.
દિવાળીના તહેવારોમાં કર્મચારીઓને મળી શકે ભેટ
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધારાના ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે અને સરકાર કર્મચારીઓને દિવાળીની ભેટમાં ડીએ વધારો આપે તેવું મનાઈ રહ્યું છે.