કેન્દ્ર સરકારના કર્મચારીઓને થોડાક સમયમાં એક બાદ એક અનેક ફાયદા મળી રહ્યા છે.
મોંધવારી ભથ્થામાં એક વાર ફરી 3 ટકનો વધારો થવાનો છે
હાલમાં જ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાહેરાત કરવામાં આવી
કેન્દ્રીય કર્મચારીઓને જાણો જાણો કયા ફાયદા થશે
મોંધવારી ભથ્થામાં એક વાર ફરી 3 ટકનો વધારો થવાનો છે
આ તહેવારોમાં પહેલા સરકારી કર્મચારીઓના મોંધવારી ભથ્થામાં એક વાર ફરી 3 ટકનો વધારો થવાનો છે. સાદી ભાષામાં સમજીઓ તો 1 જૂલાઈ 2021થ ડીએ 17 ટકાથી વધીને 28 ટકા થઈ શકે છે. થોડાક મહિના બાદ તેમાં ફરી વધારો કરવામાં આવેશે. જુલાઈ 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતુ કે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે ડીએ 11 ટકા વધારીને 28 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.
હાલમાં જ કેન્દ્રીય કર્મચારીઓ માટે જાહેરાત કરવામાં આવી
કેન્દ્ર સરકારના કર્મચારીઓને આ તહેવારની સીઝનમાં ડીએ અને ડીઆરના દરમાં ફરી 3 ટકાની વૃદ્ધિ થઈ શકે છે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના ડીએ અને ડીઆર બેસિક સેલરી 28 ટકાથી વધીને 31 ટકા થઈ જશે. ડીએ અને ડીઆરમાં વૃદ્ધિ ઉપરાંત કેન્દ્ર સરકારના કર્મચારીઓએ કેટલાક અન્ય લાભ પણ મળી શકે છે. જેની જાહેરાત હાલમાં જ કરવામાં આવી હતી. આવો જાણીએ કે કેન્દ્રીય કર્મચારીઓને તહેવારની સીઝનમાં કયા 5 ફાયદા મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓની પારિવારિકતા પેન્શનની સીમા 45000 રુપિયાથી વધારે 1.25 લાખ રુપિયા કરી દેવામાં આવી છે. મૃત કર્મચારીઓના પરિવારજનોની મદદ અને તેમને પર્યાપ્ત નાણા સહાયતા પ્રદાન કરવા માટે કેન્દ્રે આ પગલુ ઉઠાવ્યું હતુ.
કેન્દ્રીય કર્મચારીઓને કયા કયા ફાયદા મળશે
મોદી સરકારે પોતાના ઘરમાં બનેલા ઈચ્છુક સરકારી કર્મચારીઓને સસ્તા વ્યાજ દર પર લોન આપવાને લઈને જૂન 2020માં હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA)ની શરુઆત કરી હતી. આ ઉપરાંત રિટાયર થઈ ચૂકેલા કેન્દ્ર સરકારના પેન્શનધારમોના રજિસ્ટર્ડ મોબાઈલ અને ઈ મેલ પર સીધી એસએમએસ, ઈમેલ તથા વ્હોટ્સએપના માધ્યમથી પેન્શન પર્ચી પણ આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ડીએ અને ડીઆર ઉપરાંત વધેલા હાઉસ રેન્ટ અલાઉન્સ પણ મળશે. ઉલ્લેખનીય છે કે ડીએ 25 ટકાથી વધારે થવા પર એચઆરએ વધી જશે. વધેલા એચઆરએના લાભ કેન્દ્રીય કર્મચારીઓને મળવાનું શરુ થઈ ગયો છે.