સરકારે સંસદને જણાવ્યું કે DA ન આપીને 34400 કરોડ રૂપિયા બચાવામાં આવ્યાં છે.
સરકારે સદનમાં DA અંગે આપી માહિતી
બાકી રહેલા 18 મહિનાનાં DAની નહીં થાય ચૂકવણી
રુપિયાનો ઉપયોગ કોરોનામાં કલ્યાણકારી યોજનાઓ માટે થયો
સંસદનાં બજેટ સત્રનાં દ્વિતીય ચરણની શરૂઆતની સાથે જ લોકસભામાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનભોગીઓનાં 18 મહિનાનાં બાકી લેણાંનો મુદો ઊઠ્યો. પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્ર સરકારથી બાકી રહેલા મોંઘવારી ભથ્થાં અને મોંઘવારી રાહતને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યાં. સરકારને પૂછવામાં આવ્યું કે કોરોનાકાળ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનભોગીઓનું 18 મહિનાનું જે મોંઘવારી ભથ્થું રોકવામાં આવ્યું હતું શું નજીકનાં ભવિષ્યમાં તેને રિલીઝ કરવાની કોઈ યોજના છે? તેનો જવાબ આપતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપતાં કહ્યું કે DA જાહેર કરવાની તેમની કોઈ જ યોજના નથી.
સરકારે જણાવ્યું આ કારણ
કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લેખિતમાં જવાબ આપતાં જણાવ્યું કે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનભોગીઓનાં મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતનાં હપ્તાનો એરિયર આપવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે જાન્યુઆરી 2020, જૂલાઈ 2020 અને જાન્યુઆરી 2021નાં જાહેર કરવામાં આવેલા મોંઘવારી ભથ્થાને ફ્રીઝ કરવાનો નિર્ણય કોરોના મહામારીના લીધે જન્મેલ આર્થિક કટોકટીને લીધે લેવામાં આવ્યો હતો જેનાથી સરકાર પરનો નાણાકીય બોજ ઘટાડી શકાય.
કલ્યાણકારી યોજનાઓ માટે ઘણો ખર્ચ
પંકજ ચૌધરીએ જણાવ્યું કે સરકારને કલ્યાણકારી યોજનાઓ માટે ઘણું નાણું ખર્ચવું પડ્યું છે જેની અસર 2020-21 અને તેના પછી પણ જોવા મળ્યું છે. બાકી રહેલા મોંઘવારી ભથ્થાંનાં એરિયર 2020-21 છે જેના ચૂકવવાનું યોગ્ય સમજવામાં આવ્યું નથી. અત્યારે પણ સરકાર નાણાકીય નુક્સાન FRBM એક્ટ અંતર્ગત નક્કી કરવામાં આવેલા લેવલથી બેગણું છે.
સરકારે 34400 કરોડ રૂપિયાની બચત કરી
નાણાકીય રાજ્યમંત્રીએ સદનને જણાવ્યું કે મોંઘવારી ભથ્થાનાં એરિયર ન આપીને સરકારે 34,402.32 કરોડ રૂપિયાની બચત કરી છે. આ પૈસાનો ઉપયોગ કોરોના મહામારીથી પેદા થયેલ આર્થિક અસરની સામે લડવા માટે ખર્ચ કરવામાં આવ્યાં છે.