કેન્દ્ર સરકારે કોરોના વાયરસ મહામારીના કારણે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનો વધારો મે 2020થી રોકી દેવામાં આવ્યો હતો.
કર્મચારી કરી રહ્યા DA એરિયરની માંગ
DAથી ઓછી થાય છે મોંઘવારીની અસર
જાણો વિગતે
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર મોંઘવારી ભથ્થા (DA), મોંઘવારી રાહત (DR) અને ભાડા ભથ્થુ (HRA)માં વધારા બાદ હવે દિવાળી પહેલા એટલે કે ઓક્ટોબર 2021માં સરકારી કર્મચારીઓને ફરી ભેટ આપી શકે છે. કેન્દ્રએ જુલાઈમાં મોંઘવારી ભથ્થુ 17 ટકા વધારીને 28 ટકા અને હાઉસ રેન્ટ અલાઉન્સ 24 ટકા વધારીને 27 ટકા કરી દીધુ હતુ. હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ ફરી 3 ટકા વધશે. માટે હવે તે વધીને 31 ટકા થઈ જશે. જણાવી દઈએ કે કેન્દ્રએ કોરોના વાયરસ મહામારીના કારણે મોંઘવારી ભથ્થામાં વધારાને (DA Hike)મે 2020માં રોકી દીધો હતો.
કર્મચારી કરી રહ્યા DA એરિયરની માંગ
કેન્દ્રીય કર્મચારી મોંઘવારી ભથ્થામાં વધારા બાદથી ડીએ એરિયરની માંગ કરી રહ્યા છે. નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમ (NCJCM), ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ અને નાણામંત્રાલયની વચ્ચે તેને લઈને 26-27 જૂન 2021માં બેઠક થઈ હતી. જોકે તેના પર અત્યાર સુધી કોઈ ઓફિશયલ નિવેદન નથી આવ્યું. કેન્દ્રએ 17 ટકા આપવામાં આવી રહેલું કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ કોરોના મહામારી વખતે લગભગ ડોઢ વર્ષ માટે રોકી દીધુ હતું. જાણકારો અનુસાર, લેવલ-1 કર્મચારીઓનું ડીએ એરિયર 11,880 રૂપિયાથી 37, 554 રૂપિયાની વચ્ચે બને છે. ત્યાં જ લેવલ-14ના કર્મચારીઓને ડીએના 1,44,200 રૂપિયાથી લઈને 2,18,200 રૂપિયા સુધી મળશે.
DAથી ઓછી થાય છે મોંઘવારીની અસર
ગયા વર્ષના મુકાબલે કુલ મોંઘવારી ભથ્થુ 11 ટકા વધી ચુક્યું છે. સરકારે જુલાઈ 2021થી તેને 28 ટકા કરી દીધુ છે. હવે જૂન 2021માં જો તે 3 ટકા વધે છે તો ત્યાર બાદ મોંઘવારી ભથ્થુ 31 ટકા પર પહોંચી જશે. બીજા શબ્દોમાં કહીએ તો જો એક કર્મચારીની બેસિક સેલેરી 50,000 રૂપિયા છે તો તેને 15,500 રૂપિયા ડીએ મળશે. ત્યાં જ કેન્દ્રની જેમ રાજ્યે પર ડીએ વધારવાનો નિર્ણય કર્યો છે. તેમાં ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશીમર, ઝારખંડ, હરિયાણા, કર્નાટક, રાજસ્થાન અને આસામનો સમાવેશ થાય છે. ડીએ કર્માચારીની બેસિક સેલેરીનું નિશ્ચિત ભાગ હોય છે. દેશમાં મોંઘવારીની અસરને ઓછી કરવા માટે સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ આપે છે. જેને સમય સમય પર વઘારવામાં આવે છે.