કેન્દ્રીય કર્મચારીઓ માટે ચાલુ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ બનવાની છે. ચાલુ વર્ષે દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને ત્રણ ભેટ મળવાની છે. પ્રથમ નંબરે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ફરી એક વખત વધારો થઇ શકે છે. બીજા નંબરે DA એરિયર અંગે સરકાર સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ ઉકેલ આવી શકે છે. જોકે, સરકાર બાકી રકમ આપવાના પક્ષમાં નથી.
કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં
દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને મળશે ત્રણ ભેટ
મોંઘવારી ભથ્થામાં ફરી એક વખત થશે વધારો
મોંઘવારી ભથ્થામાં થશે વધારો
ત્રીજા નંબરે દિવાળી પહેલાં પ્રોવિડન્ટ ફંડમાં વ્યાજ ખાતામાં જમા થઇ શકે છે. આવો જાણીએ આ અંગે વિસ્તારપૂર્વક. જુલાઈ 2021નું મોંઘવારી ભથ્થુ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ જાન્યુઆરીથી મે 2021ના AICPI આંકડા પરથી જાણવા મળ્યું છે કે તેમાં ત્રણ ટકા સુધીનો વધારો થઇ શકે છે. આ રીતે મોંઘવારી ભથ્થુ ત્રણ ટકા વધ્યાં બાદ 31 ટકા પર પહોંચી જશે. મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકાર દશેરા અથવા દિવાળીની આજુબાજુ DA વધારવાની જાહેરાત કરી શકે છે.
વધી શકે છે DA એરિયર
કેન્દ્રીય કર્મચારીઓ આશા રાખી રહ્યાં છે કે તેમને દિવાળી પહેલાં 18 મહિનાથી રોકાયેલુ મોંઘવારી ભથ્થુ મળી જશે. હવે 18 મહિનાથી પેન્ડિંગ એરિયરનો મામલો PM નરેન્દ્ર મોદી સુધી પહોંચી ગયો છે. મીડિયા રિપોર્ટસ મુજબ, વડાપ્રધાન મોદી તેનો ઉકેલ ટૂંક સમયમાં લાવી શકે છે. દિવાળી સુધી 18 મહિનાથી પેન્ડિંગ મોંઘવારી ભથ્થુ મળી શકે છે. નાણાં મંત્રાલયે કોવિડ-19 મહામારીના કારણે મે 2020માં DA વધારાને 30 જૂન 2021 સુધી રોકી દીધુ હતુ.
ટૂંક સમયમાં આવશે PF ના વ્યાજના રૂપિયા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના 6 કરોડથી વધુ ખાતાધારકોને ટૂંક સમયમાં ખુશખબરી મળી શકે છે. દિવાળી પહેલાં EPFO એકાઉન્ટ હોલ્ડર્સને બમ્પર ઈનામ આપી શકે છે. પ્રોવિડન્ટ ફંડના ખાતાધારકોના બેંક ખાતામાં ટૂંક સમયમાં વ્યાજના પૈસા ટ્રાન્સફર થઇ શકે છે. EPFO ટૂંક સમયમાં પોતાના 6 કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં 2020-21 માટે વ્યાજ ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી શકે છે.