બનાસકાંઠાના દિયોદરમાં 8 કલાક વીજળી આપવાની માગ બની વધુ ઉગ્ર, બળદગાડા-ટ્રેક્ટર લઇને ઉમટી પડ્યા ખેડૂતો
વીજળી મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત
દિયોદરમાં સાતમાં દિવસે પણ વિરોધ
પશુ પાલક મહિલાઓ પણ વિરોધમાં જોડાઇ
બનાસકાંઠામાં દિયોદરમાં વીજળી મુદ્દે વિરોધ દિવસ જાય તેમ ઉગ્ર બની રહ્યો છે. 8 કલાક વીજળી આપવાની માગ સાથે શરુ થયેલો વિરોધ સાતમાં દિવસે પણ યથાવત જોવા મળ્યો છે. સમયસર અને સતત આઠ કલાક વીજળી આપવાની માગ સાથે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે દિયોદરના વખા ગામે વિરોધમાં હવે તો પશુપાલક મહિલાઓ પણ જોડાઇ. ટ્રેક્ટર લઇને આખા ગામના ખેડૂતો ઉમટી પડ્યા. બળદગાડા અને ટ્રેક્ટરો લઇને એસડીએમને આવેદન પત્ર આપવામાં આપવા પહોંચ્યા છે.
વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી
મહત્વનું છે કે સરકાર દ્વારા 8 કલાક ખેડૂતોને વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડૂતોને માંડ 3 કલાક પણ વીજળી મળતી નથી. પરિણામે ખેડૂતોએ વાવેતર કરેલા પાકોની સિંચાઇ થઇ શકતી અને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ છે. આ મામલે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યાછે ત્યારે સરકાર પોતાનો વાયદો પૂર્ણ કરવામાં સફળ રહેશે કે કેમ તે જોવુ રહ્યું.જો વીજળી પૂરતા પ્રમાણમાં નહી આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીને વિધાનસભાનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
'વીજ કંપનીઓ ખેડૂતોના કનેક્શન કાપતો તો AAP કનેક્શન જોડશે'
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી પણ જનતાનો મત મેળવવા મેદાને આવી છે. ખેડૂતો અને પશુપાલકો મુદ્દે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ જેમાં તેઓએ ખેડૂતો અને પશુપાલકોની સાથે હોવાનો મત રજૂ કર્યો. તેઓએ જણાવ્યું કે ખેડૂતોમે 12 કલાક વીજળી નહી મળે ત્યાં સુધી બિલ નહી ભરે. જો વીજ કંપનીઓ ખેડૂતોના કનેક્શન કાપતો તો AAP કનેક્શન જોડશે.ખેડૂતોનો વીજ પુરવઠો બંધ થશે તો AAP ઉદ્યોગો અને શહેરોનો વીજ પુરવઠો ખોરવશે. જો સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વિકારે તો નેશનલ હાઇવે ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
રાત્રે ખેડૂતો દ્વારા ભજન ગાઇ વિરોધ
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં દિયોદરના વખા ખાતે છેલ્લા 6 દિવસથી ખેડૂતો પૂરતી વીજળીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગત રાત્રે ખેડૂતો દ્વારા ભજન ગાઇ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર પોતાના વાયદા પ્રમાણે આઠ કલાક પૂરતી વીજળી આપે.
ખેડૂતોના ધરણાંને કોંગ્રેસ-AAP સહિતના પક્ષોનો ટેકો
જ્યાં સુધી આઠ કલાક પૂરતી વીજળી નહીં મળે ત્યાં સુધી ખેડૂતોના ધરણા યથાવત રહેશે. બીજી તરફ ખેડૂતોના ધરણાંને કોંગ્રેસ-AAP સહિતના પક્ષો ટેકો આપ્યો હતો. મહત્વનું છે કે, એક તરફ અનેકવાર વાયદો કરવા છતા વીજળી પુરતી ન મળતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.