ગાંધીનગર ખાતે આવેલી પંડિત દીનદયાલ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU) ખાતે સાતમો પદવીદાન સમારોહ દેશના ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, PDPUના અધ્યક્ષ અને રિલાયન્સ ગૃપના ચેરમેન મુકેશ અંબાણી તથા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, ગાંધીનગરના રાયસણ ખાતે આવે PDPU કેમ્સપસમાં આ પદવીદાન સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો જેમાં આજરોજ 1040 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવનાર છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 29, 2019
અમિત શાહનું સંબોધન
PDPUના પદવીદાન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ટૂંકાગાળામાં આ યુનિવર્સિટીએ ખૂબ પ્રગતિ કરી છે. જીવન હંમેશા અપાર સંભાવનાઓથી ભરેલુ છે.
જીવનમાં લક્ષ્ય ક્યારેય નાનું ન રાખવું જોઈએ. શાહે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે, કશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. એટલે સરકારે એક જ ઝટકામાં કલમ 370 હટાવી દીધી છે. હવે કશ્મીરની જનતા પણ વિકાસનો સ્વાદ માણશે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, આજે હું કહેવા માંગું છું કે આવનારો સમયગાળો ગ્વોબલ વોર્મિંગનો છે. આપણે આ ગંભીર મુદ્દે વિચારવું પડશે. દિનદયાલ યુનિવર્સિટી પ્લાસ્ટિક રિસાયકલિંગ અને ઇકોફ્રેન્ડલી પ્લાસ્ટિક અંગેના વધુમાં વધુ રિસર્ચ કરે. કૂદરતનું ક્યારે શોષણ ન કરવું જોઇએ તેનું દોહન કરવું જોઇએ આ સિદ્ધાંત પંડિત દિન દયાળજી માનતા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 29, 2019
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીની (PDPU) સ્થાપના 'ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)'એ ઓઇલ અને ગેસ ક્ષેત્ર પર ઘ્યાન કેન્દ્રિત કરીને ઊર્જા શિક્ષણ અને સંશોધનમાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીની રચના કરવા માટે કરેલી છે, જે વિશ્વભરના ઓઇલ અને ગેસ ઉધોગ માટે તાલીમબદ્ધ અને જાણકાર માનવ સંસાધનની જરૂરિયાત પૂરી કરે છે.