તેલંગાણા અને મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે માઝા મૂકી છે. જેના કારણે લગભગ 77 લોકોના મોત થયું હોવાની જાણકારી મળી છે. એક અધિકૃત મહાતી અનુસાર ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ વિસ્તારમાં 11 લોકોના મોત થયા છે. આ સાથે જ આ વિસ્તારોમાં પાકને પણ મોટું નુકસાન થયું છે.
તેલંગાણા અને મહારાષ્ટ્રમાં વરસાદી આફત
77 લોકોના મોત, પાકને પણ થયું ભારે નુકસાન
પીએમ મોદી પાસે માંગી મદદ
રાહત માટે પીએમ પાસે માંગી મદદ
પ્રારંભિક અનુમાનના આધારે રાવે કહ્યું છે કે બુધવારે થયેલા ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતા લગભગ 5000 કરોડ રૂપિયાથી વધારેનું નુકસાન થયું છે. તેઓએ પીએમ મોદીને પત્ર લખીને રાહત અને પુર્નવાસના કાર્યો માટે તરત જ 1350 કરોડ રૂપિયા જાહેર કરવાનો આગ્રહ કર્યો છે.
महाराष्ट्र: भारी बारिश की वजह से बारामती में कई घरों में पानी भर गया है, लोगों के वाहन पानी में डूब गए हैं। pic.twitter.com/DHkd6Nfxr8
પશ્ચિમી મહારાષ્ટ્રના સોલાપુર, સાંગલી અને પુનામાં વરસાદના કારણે 27 લોકોના મોત થયા છે. અધિકારીઓએ બુધવારે 3 જિલ્લાના 20000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા હતા. આખી રાતના વરસાદના કારણે રાજધાની મુંબઈમાં પણ અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા. સોલાપુરમાં 14 મોત, સાંગલીમાં 9 મોત અને પુનામાં 4 લોકોના વરસાદી આફતના કારણે મોત થયા છે.
એક વ્યક્તિની નથી થઈ શકી શોધ
મળતી માહિતી અનુસાર સોલાપુરના પંઢરપુરમાં દિવાલ ધસી જવાથી 6 લોકોના મોત થયા છે. અન્ય લોકોના મોત વરસાદના કારણે થયા છે. અધિકારીનું કહેવું છે કે દૌંદ વિસ્તારનો એક વ્યક્તિ હજુ લાપતા છે. સાંગલીમાં 9 લોકોના મોત થયા છે.
सांगली: फायर विभाग और अन्य एजेंसी की रेस्क्यू टीम ने बांढ में फंसे हुए 10 परिवारों को बचाया। चीफ फायर ऑफिसर ने बताया,"हमने सभी लोगों को सुरक्षित जगह पर पहुंचा दिया है उनमें बुजुर्ग महिला, बच्चे और जानवर भी थे। अभी बारिश तो रुक गई है लेकिन बाढ़ की स्थिति अभी भी है।" #Maharashtrapic.twitter.com/ch8dntLtwP
અધિકારીએ જણાવ્યું છે કે પ્રારંભિક સૂચનાથી સોલાપુર, સાંગલી અને પુનાના લગભગ 20000 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. સોલાપુરના અધિકારીના જણાવ્યા અનુસાર પંઢરપુરથી લગભગ 1650 લોકોને હટાવાયા છે. મદદ માટે જિલ્લામાં એનડીઆરએફની વધુ ટીમ બોલાવવામાં આવી છે.
હવામાન વિભાગે આપ્યું એલર્ટ
હવામાન વિભાગના અનુસાર પુનામાં બુધવારે 96 મિલિ. વરસાદ થયો છે. કોલ્હાપુરમાં 56 મિલિ. વરસાદ થયો છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિના કારણે પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે.ખેડૂતોની ફરી એક વાર પાયમાલ થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય પ્રશાસન સેના, નૌસેના અને વાયુસેનાને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપી છે.