નરેન્દ્ર મોદીના વિકાસના સંકલ્પોને અમે આગળ વધારી રહ્યાં છીએ: CM
76મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે આજે અરવલ્લીના મોડાસામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઇ. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોડાસામાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ગુજરાતના સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી હતી. CM મોડાસામાં ઓરેન્જ કલરની પાઘડી પહેરીને દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. સાથે અહીં હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા પણ કરાઈ.
CM ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થાને લઇને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, '1 જાન્યુઆરીથી રાજ્યકક્ષાના સાતમા પગાર પંચ મેળવતા 9 લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.'
આ લાભ સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે
વધુમાં જણાવ્યું કે, 'આ ત્રણ હપ્તામાં પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022માં, બીજો હપ્તો સપ્ટેમ્બર 2022ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે તેમને જ મળવાપાત્ર થશે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થાના આ વધારાના લીધે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.'
ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં સરકારી કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થામાં કરાયો 3 ટકાનો વધારો, 1 જાન્યુઆરીથી થશે અમલ@CMOGuj#Gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2022
ગુજરાતમાં 4.5 લાખ લોકોને ડિજિટલ હેલ્થકાર્ડ અપાયા
CMએ જણાવ્યું કે, 'ગુજરાતમાં 4.5 લાખ લોકોને ડિજિટલ હેલ્થકાર્ડ અપાયા છે. ઉર્જા ઉત્પાદન ક્ષમતામાં 16 ગણો વધારો કરાયો છે. આજે અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીનો સમાવેશ કરાયો. ગુજરાત દરેક ક્ષેત્રમાં આજે આગળ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની ગતિ વધી,છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતુ થયું, ગુજરાત પ્રાકૃતિક ખેતીનું કેન્દ્ર બની રહ્યું છે.'
નરેન્દ્ર મોદી ગુજરાતના CM હતા ત્યારે તેમણે લીધેલા વિકાસના સંકલ્પોને અમે આગળ વધારી રહ્યાં છીએ
CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, 'આપણા માટે ગૌરવની વાત છે કે દેશની આઝાદીનું બીડું ગુજરાતનાં સરદાર સાહેબ અને મહાત્મા ગાંધીએ ઝડપ્યુ હતું. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે લીધેલા વિકાસના સંકલ્પોને અમે આગળ વધારી રહ્યાં છીએ. સરદાર સાહેબે ભારતને એક કર્યુ, સરકારે દરેક વર્ગના લોકોની ચિંતા કરી છે, આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે ગુજરાત આગળ વધ્યું છે.'
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2022
રાષ્ટ્રધ્વજ વિશે આ વાતો ભાગ્યે જ જાણતાં હશો
આપણે સૌ જાણીએ છીએ કે રાષ્ટ્રધ્વજમાં 3 રંગ હોવાના કારણે તેને ત્રિરંગો કહેવામાં આવે છે. પણ શું તમે એ જાણો છો કે તેની સાઈઝ શું હોય છે, તેને કોણે તૈયાર કર્યો હતો, તેમાં કયા કપડાંનો ઉપયોગ કરી શકાય? ના ને. તો જાણી લો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલી આવી જ અન્ય વાતો....
- રાષ્ટ્રધ્વજ આંધ્રપ્રદેશના પિંગલી વૈંકૈયાએ બનાવ્યો હતો.
- રાષ્ટ્રધ્વજ હંમેશા લંબચોરસ શેપમાં અને 3:2ના માપનો હોવો જોઈએ. અશોકચક્રનું કોઈ માપ નથી પણ તેમાં 24 આકા હોવા જરૂરી છે.
- ત્રિરંગો કોટન, સિલ્ક કે ખાદીમાંથી જ બનાવી શકાય છે. પ્લાસ્ટિકના ત્રિરંગા બનાવવાની મનાઈ છે.
- સંસદ ભવન દેશનું એકમાત્ર ભવન છે જ્યાં 3 રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.
- યુનિફોર્મ, કોઈ ચીજ ઢાંકવા કે પછી બોટ, પ્લેન, નંબરપ્લેટ વગેરે જગ્યાએ રાષ્ટ્રધ્વજ યૂઝ કરી શકાશે નહીં.
- રાષ્ટ્રધ્વજની બરોબર કે તેનાથી ઉપર અન્ય કોઈ ફ્લેગ લગાવી શકાય નહીં.
- 2009માં રાષ્ટ્રધ્વજને રાતે લહેરાવવાની પરવાનગી આપવામાં આવી.
- ભારતમાં 3 જગ્યાએ 21*14 ફીટના ધ્વજ લહેરાવવામાં આવે છે. કર્ણાટકના નારગુંડ કિલ્લા પર, મહારાષ્ટ્રના પનહાલા કિલ્લો અને મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના કિલ્લા પર.
- રાંચીનું પહાડી મંદિર એકમાત્ર મંદિર છે જ્યાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે.
- જ્યારે કોઈ શ્રોતા બોલતા હોય ત્યારે તેનું મોઢું જનતા તરફ અને તેમની જમણી તરફ રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ.
- રાષ્ટ્રીય શોકમાં રાષ્ટ્રધ્વજને ઝૂકાવી દેવામાં આવે છે. પણ એ જ ભવનનો ધ્વજ જ્યાં પાર્થિવ શરીર રાખવામાં આવ્યું હોય.