કોરોના વાયરસથી કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસથી મોતની આ પ્રથમ ઘટના છે. આ મોત કર્ણાટકના કલબુર્ગીમાં થયું છે. મૃતકની ઉંમર 76 વર્ષ જણાઇ રહી છે. ત્યારે, દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 76 કેસની પુષ્ટિ થઇ ચૂકી છે.
કોરોના વાયરસનો ભારતમાં પગપેસારો
કોરોના વાયરસથી ભારતમાં પ્રથમ મોત
કર્ણાટકમાં 76 વર્ષના દર્દીનું મોત
કોરોના વાયરસનો ભારતમાં ઝડપથી પગપેસારો થઇ રહ્યો છે. ગુરૂવરે 13 વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશભરમાં આ પીડિત દર્દીઓની સંખ્યા 76 થઇ ચૂકી છે. આ પહેલા બુધવારે કર્ણાટકના કલબુર્ગીમાં કોરોના વાયરસની ઝપેટમાં આવેલ 76 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિનું મોત નિપજ્યું છે જેણે ભારતના લોકોના મનમાં ડર ઉત્પન્ન કરી દીધો છે.
Commissioner,Karnataka Health Dept:76-yr-old man from Kalaburagi who passed away&was a suspected COVID-19 patient has been confirmed positive for COVID-19. Contact tracing, isolation&other measures being taken. Telangana Govt. has also been informed as he went to a hospital there
કર્ણાટકના સ્વાસ્થ્ય વિભાગના કમિશનરના હવાલાથી જણાવાયું છે કે કલબુર્ગીમાં 76 વર્ષીય જે વૃદ્ધનું મોત થયું હતું તેના તપાસ રિપોર્ટમાં તેને કોરોના વાયરસ સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ છે. આ શખ્સ સાઉદી અરબથી પરત ફર્યો હતો. ભારતમાં કોરોના વાયરસના 16 નવા કેસ સામે આવ્યા બાદ આને સંક્રમિત લોકોની સંખ્યા વધારી 76 થઇ ગઇ છે.
દિલ્હી સરકારે મહામારી જાહેર કરી, 31 માર્ચ સુધી થિયેટર્સ બંધ
દિલ્હી સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે અને તમામ થિયેટર્સને 31 માર્ચ સુધી બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેનું જાહેરાત કરતા કહ્યું કે કોરોના વાયરસના ખતરાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
BCCIએ ટીમ ઈન્ડિયાની મૅચોને લઈને લીધો મોટો નિર્ણય
કોરોના વાયરસની અસર ભારતીય ક્રિકેટ પર પણ જોવા મળ્યો છે. આવામાં BCCI એ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 15 અને 18 માર્ચે રમાનારી સીરીઝની બીજી અને ત્રીજી વન-ડે મૅચનું આયોજન ખાલી સ્ટૅડિયમમાં કરવાની જાહેરાત કરી છે.
મહત્વનું છે કે સાઉથ આફ્રિકાની ત્રણ વન-ડે સીરીઝની બાકી બચેલી બંને મેચોને લઈને BCCIએ કહ્યું હતું કે સરકારે રમતની ઈવેન્ટ્સને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. જેના અનુસાર મૅચનું આયોજન કરવામાં આવશે. આ બંને મેચોમાં સરકારી એડવાઈઝરીને ધ્યાનમાં રખાઈ છે. જેથી હવે બીજી વન-ડે જે લખનઉમાં અને ત્રીજી મૅચ કોલકતામાં રમાવાની છે ત્યાં ખાલી સ્ટૅડિયમમાં મૅચ રમાશે.
હરિયાણામાં કોરોના વાયરસને મહામારી જાહેર
હરિયાણા સરકારે ઘાતક કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, બુધવાર સુધી 44 શંકાસ્પદ કેસના નમૂનાની તપાસ માટે મોકલવામાં આવ્યું, જેમાંથી 38 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.