જૂનાગઢમાં આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય પર્વની કરાઈ ઉજવણી, મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું ધ્વજવંદન
જૂનાગઢમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
જૂનાગઢમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજ વંદન કર્યું
આઝાદીકા અમૃત્ત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય કાર્યક્રમ
આજે દેશમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે દિલ્હીમાં લાલ કિલ્લા પરથી વડાપ્રધા મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશવાસીઓને સંબોધિત કર્યા હતા ત્યારે ગુજરાતમાં પણ આ પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી અનેક જિલ્લાઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીની દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ કરવા દેશભક્તના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ ખાતે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું જે બાદ મુખ્યમંત્રી ગુજરાતની જનતાને સંબોધિત કરતા ગુજરાતીઓને અને દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભકામનાઓ આપી હતી.
જૂનાગઢમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજ વંદન કર્યું
જૂનાગઢમાં 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તો બિલખા રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનીએ ધ્વજવંદન કર્યું હતું અને ગુજરાતની જનતાને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપી હતી આ પ્રસંગે પોલીસ દ્વારા લેજીમ નૃત્ય, ડોગ શો, ડ્રોનનું ડ્રેમોસ્ટ્રેશન, શોર્યગીતો સહિતના સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સાથે સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વાતંત્ર્ય વિરોના બલિદાન,આરઝી હકુમત સહિતની શોર્યગાથાના દેશભક્તિસભર નાટકો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા.
આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય કાર્યક્રમ
જૂનાગઢમાં આઝાદીકા અમૃત્ત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની કરવામાં આવી જેમાં 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટી ખાતે એટહોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વ શહીદ સ્વાતંત્ર્ય વિરો-ક્રાંતિવીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવાનું પર્વ છે. ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા જેવા મહાન નાયકોને જન્મ આપ્યો છે.
જરૂરિયામંદોનો જરૂરિયાત પ્રમાણે સહાય અપાઈ
જૂનાગઢમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્યપર્વની ઉજવણી દરમિયાન CM રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કરતા જણાવ્યું કે કોરોનાકાળમાં ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન વિના આપણે કોરોના પર કાબૂ મેળવ્યો છે તેમજ ત્રીજી લહેરની સામે પણ સંપૂર્ણ તૈયારી કરી દેવમામાં આવી છે. રાજ્યમાં હાલ કોરોનાનો 98.5% રિકવરી રેટ પહોંચી ગયો છે.
એટલું જ નહીં તૌકતે વાવાઝોડામાં પણ સરકાર પ્રજાની પડખે રહી છે.
નવા ભારતની કલ્પના સાકાર કરીશું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કૃષિ ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર એટલું જ નહી સરકાર વતનપ્રેમ યોજના લાવી છે જેમા નવા ભારતની કલ્પના સાકાર કરીશું, ગુજરાતમાં સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે તેવું જણાવતા દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતમાં હોવાનું મુખ્યમંત્રી એ જણાવ્યું હતું. વધુમાં સરકારની વિવિધ યોજનાઓને લઈને તેમજ સરકારના પ્રજાલક્ષી કાર્યોને લઈને મુખ્યમંત્રીએ સંબંધોન કર્યું હતું.
મુખ્યમંત્રી રૂપાણીના સંબોધનના કેટલાક અંશો
જૂનાગઢમાં સીએમ રૂપાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી 'લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ'નું સૂત્ર આપ્યું હતું બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. આ દરમિયાન વાયુદળના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. સીએમ રૂપાણાએ આ દરમિયાન કહ્યુ કે ગુજરાત પોતાના લક્ષ્યાંકો નક્કી કરી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ જનતાને સંદેશ આપતા કહ્યું કે છેલ્લા બે વર્ષથી કોરોના સામે ગુજરાત પણ લડત ચલાવી રહ્યું છે. માસ્ક, પીપીઈ કીટ સહિતનું મેડિકલ સામગ્રીનું ઉત્પાદન કરી રહ્યું છે.
'લીવ ફોર ધ નેશન, નેશન ફર્સ્ટ'નું સૂત્ર આપ્યું
વધુમાં સીએ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરના અનુભવો આધારે ત્રીજી લહેરની તૈયારી કરી રહ્યા છીએ. ભગવાન કરે ને ત્રીજી લહેર ન આવે. વેક્સિનમાં 4 કરોડ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. કોરોના વોરિયર્સનું ઋણ સ્વીકારીએ છીએ. તેમજ જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યા છે તેમના માટે સંવેદના વ્યક્ત કરુ છું. સીએમ રૂપાણીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ નીમિત્તે ઉજ્જવલા યોજનાના બીજા તબક્કામાં 5 લાખ ગેસ કનેક્શન ગરીબોને આપીશું.નગરપાલિકાના વિસ્તારમાં દૈનિક પાણી પુવરઠો આપવા નગરપાલિકા દીઠ 15 કરોડ મંજૂર કરાય છે.