બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 7500 tricolors were distributed by Bollywood star Neil Nitish

બોટાદ / બોલિવૂડ સ્ટાર નીલ નિતિશ કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને, સાળંગપુરમાં 7500 તિરંગાનું કર્યું વિતરણ

Kishor

Last Updated: 11:23 PM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે બોલીવુડ સ્ટાર નીલ નિતિશના હસ્તે ૭૫૦૦ તિરંગાનુ વિતરણ કરવામા આવ્યુ હતું.

  • હનુમાનજી મંદિરના સંતો દ્વારા બોલીવુડ સ્ટારનું સન્માન
  • ૭૫૦૦  તિરંગાનુ વિતરણ કરાયું
  • કલેકટર, એસપી, ડીડીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા 

દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદીના આહવાન અનુસાર 13 થી 15 ઓગષ્ટ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે બોલીવુડ સ્ટાર નીલ નિતિશના હસ્તે ૭૫૦૦  તિરંગાનુ વિતરણ કરવામા આવ્યુ હતું. આ તકે કલેકટર, એસપી, ડીડીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. 

 
૭૫૦૦ તિરંગાનું વિતરણ કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત સ્વરૂપે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે જિલ્લાના સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે મંદિરના પટાગણમા ગામે ગામના હરિભક્તો માટે ૭૫૦૦ તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમા  મુખ્ય મહેમાન નીલ નિતિશ મુકેશ-બોલીવુડ ફિલ્મસ્ટાર તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. વધુમાં તેમના હસ્તે હરિભકતોને તિરગા વિતરણ કરવામાં આવ્યું હતું. 

દાદાના દર્શન થકી ધન્યતા અનુભવી
આ કાર્યક્રમમા ધારાસભ્ય સૌરભ પટેલ, આત્મારામ પરમાર, કલેકટર, એસ પી, ડીડીઓ સહિતના અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા જયારે કષ્ટભંજન હનુમાનજી મંદિરના સંતો દ્વારા બોલીવુડ સ્ટાર તેમજ ઉપસ્થિત મહેમાનોનુ સ્વાગત કર્યું હતું. આ અવસરે  બોલીવુડ સ્ટાર નીલ નિતિશે જણાવ્યું હતું કે આજે મારા પરીવાર સાથે દાદાના દર્શને આવી દાદાના દર્શન થયા છે જેથી હું ધન્યતા અનુભવી રહ્યો છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાના સ્લોગન નીચે આજે સમગ્ર દેશમાં રાષ્ટ્ર ભાવના જોવા મળી છે. તેમ અંતમાં ઉમેર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ