સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે બોલીવુડ સ્ટાર નીલ નિતિશના હસ્તે ૭૫૦૦ તિરંગાનુ વિતરણ કરવામા આવ્યુ હતું.
હનુમાનજી મંદિરના સંતો દ્વારા બોલીવુડ સ્ટારનું સન્માન
૭૫૦૦ તિરંગાનુ વિતરણ કરાયું
કલેકટર, એસપી, ડીડીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા
દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી મોદીના આહવાન અનુસાર 13 થી 15 ઓગષ્ટ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું ત્યારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે બોલીવુડ સ્ટાર નીલ નિતિશના હસ્તે ૭૫૦૦ તિરંગાનુ વિતરણ કરવામા આવ્યુ હતું. આ તકે કલેકટર, એસપી, ડીડીઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
૭૫૦૦ તિરંગાનું વિતરણ કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત સ્વરૂપે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે જિલ્લાના સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે મંદિરના પટાગણમા ગામે ગામના હરિભક્તો માટે ૭૫૦૦ તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન નીલ નિતિશ મુકેશ-બોલીવુડ ફિલ્મસ્ટાર તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા. વધુમાં તેમના હસ્તે હરિભકતોને તિરગા વિતરણ કરવામાં આવ્યું હતું.
દાદાના દર્શન થકી ધન્યતા અનુભવી
આ કાર્યક્રમમા ધારાસભ્ય સૌરભ પટેલ, આત્મારામ પરમાર, કલેકટર, એસ પી, ડીડીઓ સહિતના અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા જયારે કષ્ટભંજન હનુમાનજી મંદિરના સંતો દ્વારા બોલીવુડ સ્ટાર તેમજ ઉપસ્થિત મહેમાનોનુ સ્વાગત કર્યું હતું. આ અવસરે બોલીવુડ સ્ટાર નીલ નિતિશે જણાવ્યું હતું કે આજે મારા પરીવાર સાથે દાદાના દર્શને આવી દાદાના દર્શન થયા છે જેથી હું ધન્યતા અનુભવી રહ્યો છું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાના સ્લોગન નીચે આજે સમગ્ર દેશમાં રાષ્ટ્ર ભાવના જોવા મળી છે. તેમ અંતમાં ઉમેર્યું હતું.