75 વર્ષ પહેલા કપૂરથલાની રાણી તારા દેવીએ (Rani Tara Devi of Kapurthala) પોતાના 2 પાળતુ શ્વાનની સાથે કુતુબમીનાર પરથી કુદીને આત્મહત્યા કરી હતી.
આ રાહીએ કરી હતી આત્મહત્યા
દિલ્હીના કુતુબ મીનારથી કરી હતી આત્મહત્યા
જાણો શું હતું તેના પાછળનું કારણ
દિલ્હીનું કુતુબ મીનાર (Qutub Minar) શહેરની શાન ગણાય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે લગભગ 75 વર્ષ પહેલા કપૂરથલાની રાણી તારા દેવીએ (Rani Tara Devi of Kapurthala) પોતાના 2 પાળતુ શ્વાનની સાથે કુતુબમીનાર પરથી કુદીને આત્મહત્યા કરી હતી.
ક્યાંના હતા રાણી?
મુળ ચેક ગણરાજની રહેવાસી રાણી તારા દેવીનું અસલી નામ Eugenia Maria Grossupovai હતું. તે કપૂરથલાના મહારાજા જગજીત સિંહના છઠ્ઠા પત્ની હતા. તે બન્નેની મુલાકાત ફ્રાંસમાં થઈ હતી. Mariaના માતા-પિતા એક્ટર હતા અને ઈસાઈ ધર્મને માનતા હતા. Maria ખૂબ જ સુંદર હતા. મહારાજ જગજીત સિંહ જ્યારે યુરોપ પહોંચ્યા તો તેમની સુંદરતા પર મોહિત થઈ ગયા હતા.
લગ્ન બાદ મળ્યું તારા દેવી નામ
મહારાજે મારિયાના માતા-પિતા સાથે વાત કરીને લગ્ન માટે રાજી કર્યા. તેના માટે તેમણે લાખો રૂપિયાની રકમ ઉપહારમાં પણ આપી હતી. માતા-પિતાના રાજી થયા બાદ Eugenia Maria Grossupovai વર્ષ 1942માં મહારાજ જગજીત સિંહની સાથે ભારત પહોંચ્યા. કપૂરથલા પહોંચવા પર બન્નેના સિખ રીતિ-રિવાજો સાથે લગ્ન થયા. લગ્ન બાદ તેમનું નવું નામ રાણી તારા દેવી (Rani Tara Devi) રાખવામાં આવ્યું.
લગ્નથી વાખુશ હતા રાણી તારા દેવી
ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર રાણી તારા દેવી (Rani Tara Devi) પોતાના આ લગ્નથી કંઈ વધારે ખુશ ન હતા. તેનું કારણ તેમના અને મહારાજની વચ્ચે ઉંમરનું અંતર હતું. મહારાજ શાંત સ્વભાવના હતા. જ્યારે રાણી તારા દેવી યુવા હતી. ધીરે ધીરે બન્નેની વચ્ચે દૂરી વધતી ગઈ.
9 ડિસેમ્બર 1946એ પહોંચ્યા કુતુબ મીનાર
વર્ષ 1946માં રાણી તારા દેવી પોતાના 2 પાલતુ શ્વાન અને સ્ટાફની સાથે દિલ્હી પહોંચ્યા હતા. તે લગભગ 1 મહિના સુધી દિલ્હીના એક હોટલમાં રોકાયા હતા. 9 ડિસેમ્બરે તે પોતાના સ્ટાફને સાથે લઈને કુતુબ મીનાર ફરવા ગયા હતા. તેમણે પોતાની હેન્ડબેગ પોતાના ડ્રાઈવરને આપી અને પોતે બન્ને પાળતુ શ્વાનો સાથે કુતુબ મીનામાં ફરવા જતા રહ્યા.
ઉંચાઈથી કુદીને કરી આત્મહત્યા
રાણી તારા દેવીએ (Rani Tara Devi) બન્ને પાલતુ શ્વાનની સાથે કુતુબ મીનારની (Qutub Minar) ચઢાઈ કરવાનો નિર્ણય કર્યો. તે ધીરે ધીરે સીડિઓ ચઢીને ઉપર પહોંચ્યા અને ત્યાંથી બન્ને શ્વાનની સાથે છલાંગ લગાવી દીધી. આ ઘટનામાં રાણી તારા દેવી અને તેમના બન્ને પાળતુ શ્વાનનું મોત થઈ ગયું.
મહારાજ જગજીત સિંહનું 3 વર્ષ બાદ મોત
જ્યારે આ વાતની જાણકારી મહારાજ જગજીત સિંહને થઈ તો તે અંદરથી તૂટી ગયા અને આઘાતમાં રહેવા લાગ્યા. આખરે આઘાતના કારણે તેમણએ પણ 3 વર્ષ બાદ વર્ષ 1949માં દમ તોડી દીધો. રાણી તારા દેવી (Rani Tara Devi)ના કુતુબ મીનારથી કુદવાની ઘટનાને 9 ડિસેમ્બરને એટલે કે આજે 75 વર્ષ પુરા થઈ રહ્યા છે.