કોરોના વાયરસે દેશનાં જાણે હડકંપ મચાવી દીધો છે. ઝડપથી વધી રહેલા જીવલેણ વાયરસને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટા નિર્ણયો લીધા છે. દેશના 75 જિલ્લાને લોકડાઉન કરી દેવાના આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ દેશની બધી જ ટ્રેન, મેટ્રો અને બસ જેવી પરિવહન સુવિધાઓને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને કચ્છને બંધ કરવામાં આવશે.
સરકારે દેશનાં 75 જિલ્લાને લોકડાઉન કરી દેવાનો નિર્ણય લીધો
આ જિલ્લાઓમાં જરૂરી સેવાઓને છોડીને બધી જ સેવાઓ બંધ
31મી માર્ચ સુધી બધી જ ટ્રેનો સસ્પેન્ડ
કોરોના વાયરસની દહેશતને ધ્યાનમાં લેતા આજે કેબીનેટ સચિવ અને અને બધા જ રાજ્યનાં બધા જ સેક્રેટરી વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી હતી. બેઠક કર્યા બાદ કેન્દ્ર સરકારે દેશનાં 75 જિલ્લાને લોકડાઉન કરી દેવાનો નિર્ણય લીધો છે. આ જિલ્લાઓમાં જરૂરી સેવાઓને છોડીને બધી જ સેવાઓ બંધ રાખવામાં આવશે.
રેલવેમાં દરરોજ હજારો મુસાફરો યાત્રા કરે છે એવામાં જો ત્યાં કોરોના વાયરસ ફેલાય તો સ્થિતિ ખૂબ ઘાતક બની શકે. તેથી દેશની બધી જ ટ્રેન સેવાઓને 31મી માર્ચ સુધી બંધ કરી દેવા આદેશ કરાયો છે. ટ્રેન સિવાય બધી જ મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે.
બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે 75 જિલ્લાઓમાં માત્ર જરૂરી સેવાઓ સિવાય કોઈ જ સેવાઓ ચાલુ રાખવામાં આવશે નહીં. 31મી માર્ચ આ 75 જિલ્લાઓમાં જાહેર પરિવહન સુવિધાઓ બંધ રહેશે.