પશ્ચિમ બંગાળ અને અસમમાં આજે પ્રથમ ચરણ માટે મતદાન થયું છે ત્યારે બંગાળમાં આ વખતે બમ્પર વોટિંગ થયું છે.
બંગાળમાં 30 બેઠકો પર આજે થયું મતદાન
અસમમાં 47 બેઠકો પર આજે થયું મતદાન
સાંજે 6 વાગે મતદાન થયું સમાપ્ત
ક્યાં કેટલું મતદાન?
પશ્ચિમ બંગાળમાં પહેલા ચરણમાં બમ્પર વોટિંગ થયું છે. આજે બંગાળમાં 30 બેઠકો માટે વોટ નાંખવામાં આવ્યા છે. સાંજે 6 વાગ્યા સુધીમાં બંગાળમાં આશરે 80 ટકા મતદાન થયું છે.અસમમાં પણ આજે પ્રથમ ચરણનું મતદાન સમાપ્ત થયું છે. અસમમાં આજે 47 બેઠકો પર વોટ નાંખવામાં આવ્યા. આ વખતે મતદારોમાં પહેલા ચરણમાં જ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહી ઓછે ત્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં 72.16% વોટિંગ થયું હતું.
બંગાળમાં બમ્પર વોટિંગને લઈને બંને પાર્ટીઑ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે વધારે વોટથી તેમને જ ફાયદો થશે. જોકે ફાયદો કોને થયો છે તે પરિણામના દિવસે જ જાણવા મળશે પરંતુ આજે પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ પણ ખૂબ જોવા મળ્યું હતું. બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદી પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે.
ભાજપ સાથે કદી પણ દગાબાજી ન કરી શકું-પ્રલય પાલ
સીએમ મમતા બેનરજી આ વખતે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં પ્રલય પાલે એવો દાવો કર્યો છે કે મમતાએ શનિવારે સવારે મને ફોન કર્યો અને મને કહ્યું કે નંદીગ્રામ બેઠક જીતવામાં તેમને મારી મદદ જોઈએ છે.
પ્રલય પાલે આગળ જણાવ્યું કે મમતાએ એવી પણ ઈચ્છા વ્યક્ત કરી કે મારે ટીએમસીમાં પાછા આવવું જોઈએ અને પાર્ટી માટે કામ કરવું જોઈએ.પરંતુ મેં કહ્યું કે હું ઘણા લાંબા સમયથી સુવેન્દુ અધિકારી અને અધિકારી પરિવાર સાથે જોડાયેલો છું અને હવે ભાજપ માટે કામ કરી રહ્યો છું. વીડિયોમાં ભાજપ નેતાએ કહ્યું કે ડાબેરીના શાસન દરમિયાન જ્યારે સીપીઆઈ(એમ) નંદીગ્રામના લોકોને યાતના આપી રહી છે ત્યારે અધિકારી પરિવાર જ અમારી પડખે ઊભો રહ્યો હતો. હું કદી પણ તેમને દગો ન આપી શકું અને આવું કરવામાં મારામાં હિંમત પણ નથી. મેં મમતા બેનરજીએ કહી દીધું હતું કે ટીએમસીએ નંદીગ્રામના સ્થાનિકોને કદી પણ તેમના અધિકારો આપ્યા નથી. હું ભાજપની સેવા કરવાનું ચાલુ રાખીશ. પાલે એવું પણ વચન આપ્યું કે હું નંદીગ્રામ બેઠક પરથી સુવેન્દુ અધિકારીને જીતાડીને જ જંપીશ.
વોટોના માર્કેટિંગ માટે પીએમ મોદી બાંગ્લાદેશ ગયા છે-મમતા
મમતા બેનરજીએ જણાવ્યું કે અહીં ચૂંટણી ચાલી રહી છે ત્યારે તેઓ બાંગ્લાદેશ જઈને બંગાળ પર લેક્ચર આપી રહ્યાં છે. આ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. ક્યારેક ક્યારેક તે કહે છે કે મમતા બાંગ્લાદેશથી લોકોને લાવી રહી છે, ઘુસણખોરી કરાવી રહી છે. પરંતુ તેઓ (પીએમ) ખુદ વોટ માર્કેટિંગ માટે બાંગ્લાદેશ જાય છે.