અમદાવાદ શહેર-જિલ્લામાં ૧૦૦ વર્ષ કે તેથી વધુ વયજૂથના ૭૧૯ મતદારો છે. આ તમામ શતાયુ મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ યુવાઓને પ્રેરણા આપે તેવો હોઇ જિલ્લા ચૂંટણીપંચ દ્વારા તેમનું સન્માન કરવાની દિશામાં વિચારણા હાથ ધરાઇ છે.
અમદાવાદ શહેર-જિલ્લામાં ૧૦૦ વર્ષ કે તેથી વધુ વયજૂથના ૭૧૯ મતદારો છે. ધંધૂકામાં સૌથી વધુ ૮૮ અને અમરાઇવાડીમાં સૌથી ઓછા સાત મતદાર છે. આ તમામ શતાયુ મતદારોમાં મતદાન માટેનો ઉત્સાહ યુવાઓને પ્રેરણા આપે તેવો હોઇ જિલ્લા ચૂંટણીપંચ દ્વારા તેમનું સન્માન કરવાની દિશામાં વિચારણા હાથ ધરાઇ છે.
આ શતાયુ મતદારોમાં મણિનગરમાં રહેતાં લીલાબહેન પટેલ ૧૦૧ વર્ષનાં છે. આમ તો તેઓ પથારીવશ છે, પરંતુ મતદાન માટેનો તેમનો જુસ્સો આજે પણ અકબંધ છે. બાવળાનાં મંગુબહેન પટેલ આશરે ૧૦૮ વર્ષનાં છે. અમદાવાદના ઇસનપુરનાં સીતાબહેન ઠાકોર પણ શતાયુ મતદાર છે. ઘાટલોડિયાનાં ઉમિયાબહેન પણ ઉંંમરની સદી વટાવી ચૂક્યાં છે.
દરમ્યાન શતાયુ મતદાર ઉજવણી અંગે વધુ માહિતી આપતાં જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી મિતેશ પંડ્યા કહે છે, જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ તમામ શતાયુ મતદારોને એક સ્થળે એકઠા કરીને તેમનું સન્માન કરવાની દિશામાં વિચારણા હાથ ધરાઇ છે. મહદ્અંશે શહેરમાં જ કોઇ એક સ્થળ પસંદ કરાશે, જોકે આ માટેની તારીખ હજુ નક્કી કરાઇ નથી, પરંતુ તા.ર૩ એપ્રિલના મતદાનના દિવસ પહેલાં શતાયુ મતદાર ઉજવણી કરાશે.