નાઇઝીરિયામાં સેનાના એક કેમ્પ પર થયેલ આતંકવાદી હુમલામાં 71 સૈનિકોના મોત થઇ ચૂક્યા છે. દક્ષિણ આફ્રીકાના રક્ષા મંત્રીએ જણાવ્યું કે મંગળવારે માલીથી જોડાયેલ બોર્ડર નજીક સ્થિત કેમ્પ પર ઘાતક હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ આ હુમલાને અંજામ આપ્યો.
નાઇઝીરિયામાં સેનાના એક કેમ્પ પર થયેલ આતંકવાદી હુમલો
આતંકવાદી હુમલામાં 71 સૈનિકોના મોત
અથડામણમાં 57 આતંકવાદીઓના ઠાર
મોટી સંખ્યામાં આવેલ આતંકવાદીઓએ આ હુમલામાં ત્રણ કલાક સુધી ભારે ફાયરિંગ કર્યું. અથડામણમાં 57 આતંકવાદીઓના ઠાર મરાવાની પણ સૂચના છે. જોકે, મીડિયા રિપોર્ટ અનુસાર, આ વિસ્તારમાં IS (ઇસ્લામિક સ્ટેટ) અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સક્રીય છે.
તેવામાં આ પણ માનવામાં આવી રહ્યું છે કે હુમલાખોર આજ બે સંગઠનોમાંથી કોઇ એક હશે. અત્યાર સુધી કોઇ પણ આતંકવાદી સંગઠને આ હુમલાને જવાબદારી નથી લીધી. આ હુમલો નાઇઝીરિયા સરકારની તે અપીલ બાદ થયો છે જ્યારે તેમણે રાજ્યમાં લાગેલ ઇમરજન્સીને ત્રણ મહિના સુધી વધારવાની વાત કરી છે. જણાવી દઇએ કે નાઇઝીરિયામાં પહેલા ઇમરજન્સી બે વર્ષ પહેલા લાગી હતી.
ઉલ્લેખનીય છે કે નાઇઝીરિયાના સુરક્ષા દળ આ દિવસોમાં આતંકવાદીઓ સાથે લડી રહ્યા છે. માલીથી જોડાયેલ દેશના આ વિસ્તારમાં આઇએસ આતંકવાદીઓના હુમલામાં ભારે વધારો થયો છે. જાણ રહે કે આ વર્ષની શરૂઆતમાં નાઇઝર આર્મીના બોકો હરામના વિદ્રોહિઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરતા 280 આતંકવાદીઓ ઠાર માર્યા હતા. આ કાર્યવાહી પશ્ચિમી આફ્રીકના નેતાઓના નવેમ્બરમાં લેક ચાડ ક્ષેત્રમાં નાઇઝીરિયાઇ ઇસ્લામવાદી સમૂહ બોકો હરામ દ્વારા કરવામાં આવેલ હુમલા મામલે બેઠક બાદ થઇ હતી. રિપોર્ટ અનુસાર, આ બેઠકમાં બોકો હરામના વિદ્રોહિયો પર કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.