સૌરાષ્ટ્રમાં લોકમેળાની શરૂઆત થઇ ગઈ છેવિવિધ સ્થળો પર યોજાતા મેળાઓ ગુજરાતની લોકસંસ્કૃતિની લોકઝાંખી કરાવે છે. તહેવારોની સીઝનપણ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે જન્માષ્ટમી અને ભારતનો સ્વાતંત્રતા દિવસ બન્ને એકસાથે હોવાથી રાષ્ટ્રીય ઉત્સવ ઉજવણી કરવા અને શ્રીહરીના વધામણા ભારતીયો કરી રહ્યા છે.
ગિરધરનો આજે 5244મો જન્મદિન ઉજવવા દ્વારકાવાસીઓગુજરાતભારત અને વિદેશના ભાવીકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. આજે રાત્રે બાર વાગે બાળગોપાલના જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય તહેવાર અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ખાસ રીતે કરવામાં આવી રહી છે આખા દેશમાં ધ્વાજવંદન અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમટકી ફોડના કાર્યક્રમો તથા શોભાયાત્રાના આયોજનો થકી 15મી ઓગસ્ટને ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યુ છે.
15મી ઓગસ્ટની પૂર્વસંધ્યાએ દિલ્હીના લાલકિલ્લાને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યો હતો અને ખાસ કરીને મુંબઈના ગેટ વે ઓફ ઇન્ડિયા પર વિશેષ લાઇટિંગ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈની તાજ હોટેલ પણ 1947માં બનેલ હોવાથી તેને પણ રંગીન લાઈટોથી શણગારવામાં આવી છે. દ્વારકાના સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. મંદિરને પણ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યુ છે. આજે લાલ કિલ્લા પર યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં જાપાન ના વડાપ્રધાન ખાસ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.