એનપીએ (NPA)ની સમસ્યાનો સામનો કરી રહેલી સરકારી બેન્કોને બજેટમાં મોટી રાહત મળી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સરકારી બેન્કોમાં 70,000 કરોડ રૂપિયા નાંખવાનું એલાન કર્યું છે. રીકેપિટલાઇઝેશન દ્વારા સરકારી બેન્કોની હાલત સુધારવામાં આવશે.
આપને જણાવીએ કે, કેપિટલની અછતનો સામનો કરી રહેલી સરકારી બેન્કોને ગત કેટલાક મહીનામાં મોટું ફન્ડ આપવામાં આવી ચૂક્યું છે. માનવામાં આવી રહ્યું છે કે તેથી બેન્કોની એનપીએની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે. જ્યારે લોન આપવાની ક્ષમતામાં વધારો થશે.
4 વર્ષમાં સુધરી અસેટ ક્વોલિટી
નાણામંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે ગત 4 વર્ષની વાત કરીએ તો 1 લાખ કરોડ એનપીએનું રિજોલ્યૂશન કરવામાં આવ્યું છે. જ્યારે IBC મકેનિજ્મ દ્વારા બેન્કોની લગભગ 4 લાખ કરોડ રૂપિયાની રિકવરી થઇ છે. આપને જણાવીએ કે, સરકારી બેન્કોની ગત કેટલાક વર્ષોથી NPAમાં વધારો થતો ગયો છે. જેથી તેમને કપિટલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી તેમના લોન આપવાની ક્ષમતા પર અસર પડી રહી છે.
70,000 કરોડ રૂપિયા અપાશે
બેન્કોમાં પૈસા આવવાથી મોટા પ્રોજેક્ટ્સ માટે લોન આપવામાં સરળતા રહેશે. તેથી આવનાર દિવસોમાં બેન્કોની લોન ગ્રોથ વધવાની આશા છે. હાલ બેન્કોની પાસે ઓછી મુડી છે. જેથી લોન આપવાની ક્ષમતા પર મોટી અસર પડી રહી છે. એવામાં 70000 કરોડ રૂપિયાથી બેન્કોને બુસ્ટ મળશે. કેપિટલની અછત દૂર કરવામાં મદદ મળશે.
ગત 5 ફિસ્કલમાં 3.19 લાખ કરોડ અપાયા
નાણામંત્રીએ જાણકારી આપી હતી કે એનડીએ ગવર્મેન્ટમાં બેન્ક રી કેપિટલાઇઝેશન પ્લાન હેઠળ સરકારી બેન્કોમાં લગભગ 3.19 લાખ કરોડ નાંખવામાં આવ્યા છે. એવામાં સરકારે 2.5 લાખ કરોડ આપી ચૂકી છે. સરકારી બેન્કોએ જાતે 66000 કરોડ રૂપિયા મેળવ્યા છે.