સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે ખાદ્ય સબસિડી બજેટ ઘટાડીને રૂપિયા 1,08,688.35 કરોડ કરી દીધું છે. તેમાં 70,000 કરોડથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાનું બજેટ વધારીને 600 કરોડ કરવામાં આવ્યું છે.
ભારતમાં કુપોષણનો શિકાર બાળકોની સંખ્યા ચિંતાજનક અને સરકારે ખાધ સબસિડીમાં ઘટાડો કર્યો
મોદી સરકારની SPG સુરક્ષાનું બજેટ વધ્યું
કોંગ્રેસના નેતાઓને મળતી SPG સુરક્ષા હવે ફક્ત વડાપ્રધાનને જ મળે છે
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે નાણાકીય વર્ષ 2020-21 માટે રજૂ કરેલા બજેટમાં ખાદ્ય સબસિડી માટે 1,15,569.68 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જ્યારે ગયા બજેટમાં આ યોજના માટે રૂપિયા 1,84,220 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
એટલું જ નહીં સરકારે ચાલુ નાણાકીય વર્ષનું બજેટ પણ ઘટાડીને રૂપિયા 1,08,688.35 કરોડ કર્યું છે. આ આંકડા દર્શાવે છે કે ગરીબ વર્ગ માટેની ખૂબ જ મહત્વપૂર્ણ યોજના યોગ્ય રીતે લાગુ કરવામાં આવી નથી. ખાદ્ય સુરક્ષાના મુદ્દે કામ કરી રહેલા ઘણા કાર્યકરોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
Increase of nearly 4,000 crores in the budget head “Census, Survey and Statistics/Registrar General of India” to provide funds for compiling the NPR (National Population Register) etc. Food subsidy slashed but funds available for NPR. Priorities #Budget2020#CAA_NRC_NPRpic.twitter.com/t94BZenFOq
સાર્વજનિક વિતરણ પ્રણાલી (પીડીએસ) હેઠળ ખાદ્ય ચીજો પર સબસિડી આપવામાં આવે છે અને લોકોને સસ્તા ભાવે રાશન આપવામાં આવે છે. હવે આ યોજનાનું બજેટ ઓછું થવાથી તેની અસર સામાન્ય લોકો પર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) માં ભારતને વિશ્વના 117 દેશોમાં 102મોં ક્રમ મળ્યો છે. વર્ષ 2019 ના સૂચકાંકમાં આ માહિતી બહાર આવી હતી. આ ઈન્ડેક્સમાં એ પણ જોવા મળે છે કે દેશની કેટલી વસ્તીને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહ્યો નથી. એટલે કે દેશના કેટલા લોકો કુપોપણનો શિકાર છે.
જો કે, આ પરિસ્થિતિ હોવા છતાં, 2019-20ના આર્થિક સર્વેએ કહેવામાં આવ્યું કે સતત વધતી ખાદ્ય સબસિડી પર વિચાર કરવાની જરૂર છે. 2013 માં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હેઠળ લાવવામાં આવ્યો હતો.
સર્વે મુજબ આ કાયદા અંતર્ગત ખાદ્ય સબસિડીની રકમ 2014-15માં 1,13,171.2 કરોડ રૂપિયાથી વધીને 2018-19માં 1,71,127.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આર્થિક સર્વેએ કહેવામાં આવ્યું કે, "નબળા વર્ગના હિતોની સુરક્ષા કરવાની જરૂર છે પરંતુ વધતી જતી ખાદ્ય સબસિડીની રકમ ધ્યાનમાં લેવી જોઈએ."
સરકારના આ પગલાને દેશના ગરીબ વર્ગની વિરુદ્ધમાં જોવામાં આવી રહ્યો છે. રોજી રોટી અધિકાર અભિયાનની કાર્યકર્તા અંજલિ ભારદ્વાજે કહ્યું કે, ખાદ્ય સુરક્ષા સરકારની પ્રાથમિકતા નથી. સરકારે રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનપીઆર) તૈયાર કરવા માટે તાત્કાલિક બજેટમાં રૂપિયા 4,000 કરોડ ઉમેરી દીધા છે પરંતુ ખાદ્ય સબસિડી માટેનું બજેટ ઘટાડી દીધું છે.
બીજી તરફ વડા પ્રધાનના સુરક્ષા બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્પેશિયલ પ્રોટેકશન ટીમ (એસપીજી) નું બજેટ ગયા વર્ષે રૂપિયા 535.45 કરોડથી વધારીને નાણાકીય વર્ષ 2020-21 માટે રૂપિયા 592.55 કરોડ કરવામાં આવ્યું છે.
અત્યારે દેશમાં ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એસપીજી સુરક્ષા કવચ મળે છે.
ગયા વર્ષે નવેમ્બરમાં સરકારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના સંતાનો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાસેથી એસપીજી સુરક્ષા દૂર કરી હતી. હવે તેમને CRPF દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.
એલટીટીઇ દ્વારા પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસ પ્રમુખ અને તેમના સંતાનોને સપ્ટેમ્બર 1991માં એસપીજી એક્ટ 1988 માં સુધારો કર્યા પછી VVIP સુરક્ષા સૂચિમાં શામેલ કરવામાં આવ્યા હતા. એસપીજી સુરક્ષા 28 વર્ષ બાદ ગાંધી પરિવાર પાસેથી પરત ખેંચી લેવામાં આવી છે. વર્ષ 1988 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદા હેઠળ શરૂઆતમાં માત્ર દેશના વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનોને જ સુરક્ષા આપવાની યોજના હતી.
જો કે, ગયા વર્ષે ઓગસ્ટમાં સરકારે પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પાસેથી એસપીજી સુરક્ષા કવચ પાછું ખેંચી લીધું હતું. 31 ઓક્ટોબર 1984 ના રોજ પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ એસપીજી સુરક્ષા કવચનું ગઠન કરવામાં આવ્યું હતું.