70 વર્ષીય વૃદ્ધ દંપત્તિના બરફ ગોળો ખાવા લોકો જેતપુર, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ સહિત દૂર દૂરથી મેવાસા ગામે સ્પેશિયલ આવે છે
બરફનો ગોળો વેચતા દાદા-દાદીનો અનોખો પ્રેમ
70 વર્ષે પણ વૃદ્ધ દંપત્તિ કાંડાની કમાણી પર નિર્ભર
દાદા-દાદીના બરફનો ગોળો રાજકોટ-જૂનાગઢ સુધી પ્રખ્યાત
70 વર્ષની ઉમરે જ્યારે કોઈ વૃદ્ધ પતિ-પત્ની કામ કરી રહ્યા હોય. ત્યારે પહેલો વિચારા એવો આવે કે શું પરિવારમાં કોઈ નહીં હોય? શું દીકરા-દીકરીઓએ તરછોડી મુક્યા હશે? પરંતુ આ બધા વિચારોથી દૂર આજે એક એવા દાદા-દાદી સાથે મુલાકાત કરાવવી છે. જેઓ 70 વર્ષે પણ ગોલા વેચે છે. દીકરા-દીકરીએ તરછોડ્યા નથી છતાં. ખુદના દમ પર જીવી ફેમસ બન્યા છે. ત્યારે કેવો છે 70 વર્ષના દાદા-દાદીનો મોજનો ધંધો આવો જોઈએ.
મેવાસા ગામે 70 વર્ષીય વૃદ્ધ દંપત્તિ બરફનો ગોળો બનાવવામાં હાંસલ કરી
મેવાસા ગામના મોજીલા દાદા-દાદી જેમની ઉંમર 70 વર્ષ છે. પરંતુ બરફનો ગોળો બનાવવામાં એવી મહારથ હાંસલ કરી છે કે, જેતપુરથી લઈને જૂનાગઢ-ગોંડલ સુધી. અને આ તરફ રાજકોટ સુધીના લોકો દાદા-દાદીના ગોળો ખાવા માટે આવી રહ્યા છે.સામાન્ય રીતે 70 વર્ષની ઉમરે વૃદ્ધ દાદા-દાદી ગોળો વેચે એટલે સવાલ થાય કે, શું ઘરમાં દીકરા-દીકરી નહીં હોય કે, આટલી ઉમરે આ વૃદ્ધ દંપત્તિને કામ કરવું પડી રહ્યું છે.? પરંતુ આ કેસમાં એવું નથી.
દંપત્તિના સંતાનો પણ સુરતમાં ગોળો વેચવાનો જ ધંધો કરે છે
મેવાસા ગામના અહીં 70 વર્ષના દંપત્તિ મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવાના સંતાનો સુરતમાં ગોળો વેચવાનો જ ધંધો કરે છે. જ્યારે દીકરાના નામથી જ આ દંપત્તિ મેવાસા ગામમાં ગોલા વેચવાનો ધંધો કરે છે. અને તે પણ આત્મનિર્ભર રીતે જીવવા માટે.ખાસ વાત એ છે કે, સાંજ પડતાની સાથે જ દાદા-દાદી પાસે વાત કરવાનો પણ સમય નથી રહેતો.કારણ કે, એટલી મોટી સંખ્યામાં લોકો તેમના ફેમસ ગોલા ખાવા માટે આવે છે કે, તેમની પાસે સમય જ નથી રહેતો.પરંતુ ગોલા ખાવા માટે આવનાર લોકોના મોઢે તેમના વખાણ ખુબ સાંભળવા મળે છે.
જેતપુર, ગોંડલ, રાજકોટ, અને જૂનાગઢ લોકો માત્ર ગોળો ખાવા માટે આવે છે
જેતપુર, ગોંડલ, રાજકોટ, અને જૂનાગઢ જેવા મોટા શહેરોમાંથી લોકો માત્ર બરફનો ગોળો ખાવા માટે મેવાસા ગામ આવતા હોય તો. દાદા-દાદીના હાથના જાદુની તમે કલ્પના કરી શકો છો કે, અહીં દાદા-દાદી દ્વારા બનાવવામાં આવતા કેડબરી, ઓરેન્જ, રાજભોગ, કાલાખટ્ટા અને પાઈનેપલ ગોળો સૌથી ફેમસ છે. તમે ખુદ આ ગોળાની રેકડી આગળ ઉમટેલી ભીડને જોઈને પણ અંદાજ લગાવી શકો છો કે, દાદા-દાદીના ગોળા કેટલા ફેમસ છે. 3 વાગ્યાથી લઈને રાત્રીના 2 વાગ્યા સુધી અહીં ગોળો ખાલા માટે લોકોની પડાપડી થાય છે.જો કે, આટલી ઉમરે પણ આત્મનિર્ભર રહી જીવન પસાર કરતા આ બંને દંપત્તિના વિચારો કેવા છે. આવો જાણીએ.
જેતપુરથી નિકળો તો મેવાસામાં દાદા-દાદીના ગોલા ખાવાનું ન ચૂકા જતા
મહત્વનું છે કે, આજના સમયમાં સંતાનો વૃદ્ધ માતા-પિતાને તરછોડી દેતા હોય છે. કારણ કે, તેમના વિચારો પ્રમાણે વૃદ્ધ માતા-પિતા એક બોજ બની જાય છે. પરંતુ અહીં મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવાએ એ સાબિત કરી બતાવ્યું છે કે, બાવડામાં બળ હોય તો કોઈપણ નિર્ભર રહેવાની જરૂર નથી. જોકે તેમના સંતાનો તેમને ખુબ પ્રેમ કરે છે. અને તેમને સાથે જ રાખવા ઈચ્છે છે. પરંતુ આ વૃદ્ધ દંપત્તિ એવું માને છે કે, હાથ-પગ ચાલે છે ત્યાં સુધી બેસીને ખાવામાં મજા નથી. અને આજે ગોલા વેચીને આ દંપની રોજ હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જો તમે પણ જેતપુરથી નિકળો તો મેવાસામાં દાદા-દાદીના ગોલા ખાવાનું ન ચૂકા જતા.