દેશમાં જે ઝડપે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતાં સ્થિતિ થોડા જ દિવસોમાં ગંભીર બને એવી આશંકા છે, મહાનગરોમાં કોરોનાની લહેર નહીં પણ મોટું તોફાન આવી રહ્યું હોય એવું લાગે છે.
દિલ્હી અને મુંબઈમાં કોરોનાની પ્રચંડ ત્રીજી લહેર
24 કલાકમાં 1 લાખ 40થી વધારે નવા કેસ
અમુક વિસ્તારોમાં 80 ટકા કેસ ઓમીક્રોનના જ
ભારતના મહાનગરોમાં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે. દિલ્હી અને મુંબઈમાં કોરોનાની પ્રચંડ ત્રીજી લહેર શરુ થઈ છે, કોરોનાના રોકવાના સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડતા સરકાર લાચાર બની છે. ચારેબાજુએથી વધી રહેલા કેસની વચ્ચે મુંબઈમાં આજે કોરોનાના કેસમાં પ્રચંડ ઉછાળો આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 20,318 કેસ નોંધાયા છે.
NTAGI ના ચેરમેન ડૉક્ટર એન એ અરોરાએ આપ્યા જવાબ
કોરોનાનાં કેસ લખોમાં વધી રહ્યા છે ત્યારે NTAGI ના ચેરમેન ડૉક્ટર એન એ અરોરાએ કહ્યું હતું વકે હવે ત્રીજી લહેર આવી ચૂકી છે અને આ અત્યંત ખતરનાક છે અને જે રીતે વાયરસ બિહેવ કરી રહ્યો છે તે જોતાં અગાઉ જેવો જ ખતરનાક સીન લાગી રહ્યો છે.
દુનિયાના તમામ પશ્ચિમી દેશોમાં આ આગ હવે ફેલાઈ રહી છે અને ભારતમાં પણ તેનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ભારતમાં એક જ અઠવાડિયામાં કોરોનાનાં કેસ અનેકગણા વધ્યા છે. આ ઝડપ એ વાત પર આધાર રાખે છે કે આપણે કોવિડ પ્રોટોકોલનું કેટલું પાલન કરીએ છીએ.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે આવનારા સમયમાં કોરોનાનાં કેસ વધશે અમે આ લહેરને આગળ ધપાવવાનું કામ ઓમીક્રોન વેરિયન્ટ જ કરે છે. વધારે કેસમાં આ જ વેરિયન્ટ સામે આવી રહ્યો છે અને આશરે 70 થી 80% કેસ ઓમિક્રોન સંક્રમીતોના આવી રહ્યા છે. નોર્થ ઈસ્ટના અને બંગાળમાં અત્યારે ડેલ્ટા વેરિયન્ટ સક્રિય છે અને ત્યાં તેના જ કેસ વધારે જોવા મળી રહ્યા છે. ડોકટરોએ ભારપૂર્વક કહ્યું હતું કે ડેલ્ટા માં હોસ્પિટલાઈઝેશનની વધારે જરૂર હતી પરંતુ ઓમીક્રોન વેરિયન્ટમાં હાલ ગંભીર સમસ્યાઓ જોવા મળી રહી નથી. તેમણે કહ્યું હતું કે તેમ છતાં વૃદ્ધો અને ગંભીર રોગીઓએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ.
દેશમાં 24 કલાકમાં 1 લાખ 40થી વધારે નવા કેસ આંકડા સામે આવ્યા
દેશમાં કોરોના વાયરસમાં કેસોમાં બહું તેજીની સાથે વધારો થઈ રહ્યો છે. શનિવારને વખતે 24 કલાકમાં 1 લાખ 40થી વધારે નવા કેસ આંકડા સામે આવ્યા છે. 7 મહિના બાદ સતત બીજા નવા કેસ 1 લાખથી વધારે મળ્યા છે. શુક્રવારે મોડી રાતે 1, 41, 525 નવા કેસ મળ્યા હતા. જ્યારે બે નાના રાજ્યોમાં ડેટા આવવાના બાકી હતા. આનાથી પહેલા શુક્રવારે 1 લાખ 17 હજાર નવા કેસ નોંધવામાં આવ્યા હતા. 28 ડિસેમ્બર બાદ કેસોમાં વધારો જારી છે. આ 11 દિવસોમાં દર રોજ 20 ટકાથી વધારે નવા કેસ મળ્યા છે. એટલુ જ નહીં આમાંથી 4 દિવસ એવા હતા જ્યારે કોરોનાના નવા કેસનો ગ્રોથ 40 ટકાથી વધારે રહી. આ ઉપરાંત 2 દિવસ એવા પણ રહ્યા છે. જ્યારે નવા કેસોના આંકડા વિતેલા કાલની સરખામણીએ 55 ટકાથી વધારે હતા.
રાજધાની દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં દરરોજ કુદકેને ભુસકે કોવિડ કેસો વધી રહ્યા છે. જો કે, ડેલ્ટાના મુકાબલે ઓમિક્રોનને ખૂબ જ હળવો વાયરસ ગણવામાં આવી રહ્યો છે પરંતુ તેના ફેલાવાને રફતાર વૈજ્ઞાનિકને પરેશાન કરી રહી છે. ત્યારે આ વચ્ચે WHOના ટેકનીકલ પ્રમુખ મારિયા વૈન કેર્ખોવ શુક્રવારે ઓમિક્રોનના ઝડપથી ફેલાવાના ત્રણ કારણો ગણાવ્યા છે.
WHOના નિષ્ણાંતનું મોટું નિવેદન
પ્રથમ તો નવા વેરિયન્ટના મ્યૂટેશન વાયરસને માનવ કોશિકાઓની સાથે જોડવામાં મદદ કરે છે. બીજું નવા વેરિયન્ટમાં ઈમ્યૂન સિસ્ટમથી બચી નીકળવાની ક્ષમતા છે. અંતે લોકોમાં રિઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. એટલે કે, પહેલા સંક્રમણનો શિકાર થઈ ચૂકેલ લોકો અથવા વેક્સિનેટ થયેલા લોકો માટે પણ બચવું અઘરું છે.
ત્રીજું કારણ જણાવતા કેર્ખોવે કહ્યું કે, ઓમિક્રોનમાં આપણે અપર રેસ્પિરેટરી ટેક્ટમાં વાયરસને રેપ્લીકેટ થતા જોઈ શકીએ છીએ, જે ડેલ્ટા અથવા છેલ્લા કોઇપણ વેરિયન્ટથી ખૂબ જ અલગ છે. કોરોનાના છેલ્લા તમામ સ્ટ્રેન ફેફસામાં લોવર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં રેપ્લીક્ટ થાય છે.
કોવિડ પ્રોટોકૉલ્સનું પાલન કરવાની સાથે સાથે
વેન્ટિલેશન વાળી જગ્યાનો વધુ ઉપયોગ કરવાની અપીલ
આ તમામ કારણો સિવાય, વાયરસ લોકોને વધુ પ્રમાણમાં હળવા-મળવાને કારણે ખૂબ જ ઝડપથી ફેલાય શકે છે. શરૂઆતથી જ એક્સપર્ટ્સ લોકો સારી વેન્ટિલેશન વાળી જગ્યાએ લોકોને રહેવા માટે અપીલ કરી રહ્યા છે. બંધ જગ્યાઓ પર રહેનાર વ્યક્તિઓમાં એકસાથે સંક્રમણ ફેલાવાનું જોખમ વધુ રહે છે.