મોદી સરકારે તેમના 7 ઉચ્ચ અધિકારીઓની બદલી કરી છે. આ અધિકારીઓમાં ગુજરાત કેડરના 1996ની બેચના IAS અધિકારી રાજીવ ટોપનોનો પણ સમાવેશ થાય છે.
મોદી સરકારે તેમના વાણિજ્યિક વિભાગના 7 ઉચ્ચ અધિકારીઓની બદલી કરી છે.
રવિ કોટાને જોઈન્ટ સેક્રેટરી લેવલના ઇકોનોમિક મિનિસ્ટર તરીકે ભારતીય દૂતાવાસ વોશિંગ્ટન DCમાં વાણિજ્યિક વિભાગમાં મુકવામાં આવ્યા છે.
ગુજરાત કેડરના IAS અધિકારીને રાજીવ ટોપનોને જોઈન્ટ સેક્રેટરી લેવલના ED, વર્લ્ડ બેન્કના સિનિયર એડવાઈઝર તરીકે ભારતીય દૂતાવાસ વોશિંગ્ટન DCમાં વાણિજ્યિક વિભાગમાં મુકવામાં આવ્યા છે.
લેખન ઠક્કરને ડિરેક્ટર લેવલના ઇકોનોમિક કાઉન્સેલર તરીકે ભારતીય દૂતાવાસ બેઇજિંગ ચીનમાં વાણિજ્યિક વિભાગમાં મુકવામાં આવ્યા છે.
H અઠેલીને ડિરેક્ટર લેવલના ED, એશિયન ડેવલપમેન્ટ બેન્કના એડવાઇઝર તરીકે મનિલા ફિલિપિન્સમાં વાણિજ્યિક વિભાગમાં મુકવામાં આવ્યા છે.
બ્રજેન્દ્ર નવનીત IAS અધિકારીને જોઈન્ટ સેક્રેટરી લેવલના એમ્બેસેડર અને PRI તરીકે WTO, જીનીવા સ્વિત્ઝર્લેન્ડમાં વાણિજ્યિક વિભાગમાં મુકવામાં આવ્યા છે.
અનવર હુસેન શેખને ડિરેક્ટર લેવલના કાઉન્સેલર તરીકે WTO, જીનીવા સ્વિત્ઝર્લેન્ડમાં વાણિજ્યિક વિભાગમાં મુકવામાં આવ્યા છે.
N અશોક કુમાર IAS અધિકારીને ડિરેક્ટર લેવલના એડવાઈઝર ઇન્ડસ્ટ્રી એન્ડ એન્જીનીયરિંગ તરીકે ભારતીય દૂતાવાસ બ્રસેલ્સ બેલ્જીયમમાં વાણિજ્યિક વિભાગમાં મુકવામાં આવ્યા છે.