આજકાલની લાઈફસ્ટાઈલમાં અને ખોટા ખાનપાનની આદતોના કારણે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. સ્વાસ્થ્યનું સારી રીતે સંભાળ ન લેવાના કારણે આપણા શરીરમાં તણાવ થાક ચિડચિડાહટ જવી ઘણી બીમારિઓ જન્મ લે છે. શરીરને ફિટ અને બીમારીઓથી મુક્ત રાખવા માટે યોગનો સહારો લેવામાં આવે છે. પરંતુ યોગ કરતી વખતે જો આ વાતોનું ઘ્યાન ન રાખો તો તમને ભારે પડી શકે છે....
યોગ કરતા પહેલા તમારે વાર્મઅપ કરવું જોઈએ. એવુ નથી કે તમે સીઘા આસન કરવાના શરૂ કરી દો. તેના માટે પહેલા હલ્કો ફુલ્કો વ્યાયામ કરો. જ્યારે તમારુ શરીર લચીલું થઈ જાય ત્યારે આસન કરો.
સવારે કરો કે સાંજે કરો યોગ કરતા પહેલા એ ધ્યાન રાખો કે હંમેશા ખાવાનું ખાધા બાદ લગભગ 3 કલાક પછી જ કરો તમે ઈચ્છો તો ખાલી પેટે પણ યોગ કરી શકો છો.
યાગ કરતી વખતે જો તમને તરસ લાગે તો ભુલથી પણ ઠંડુ પાણી ન પીવું જોઈએ તેનાથી શરદી તાવ કફ અને એલર્જી થઈ શકે છે.
યોગની શરૂઆત કરતી વખતે સરળ આસનોથી શરૂઆત કરો. ભલે તમને કેટલી પણ પ્રેક્ટીસ કેમ ન હોય યોગની શરૂઆત કોઈ કઠણ આસનથી ન કરવી જોઈએ. શરીરને તૈયાર કર્યા વગર જો તમે સીધા જ ભારે આસન કરશો તો ઈજા પહોંચવાના ચાન્સ વધી જાય છે.
ગમેત્યાંથી સાંભળીને આસનને ન કરવું જોઈએ. હંમેશા ઈસ્ટ્રક્ટર દ્વારા જણાવ્યા અનુસાર જ યોગ કરો કેમકે ખોટુ આસન કરવાથઈ તમને નુક્સાન પણ પહોંચી શકે છે.
યોગ કરીને તરત જ નહાવું જોઈએ નહિ. જ્યારે પણ યોગ કરો કેટલાક સમય બાદ સ્નાન કરો. કેમકે કોઈ પણ વ્યાયમ કે અન્ય શારીરિક ગતિવિધિ બાદ શરીર ગરમ થઈ જાય છે જ્યાર બાદ નહાવુ અવોઈડ કરવું જોઈએ.
યોગ કરતી વખતે મોબાઈલ સાથે ન રાખવો કેમ કે આ સમયે તમારુ ધ્યાન બીજે ક્યાય ન ભટકવું જોઈએ. મોબાઈલના કારણે તમારાથી કોઈ ખોટુ સ્ટેપ થઈ શકે છે.