ઘરના કન્સ્ટ્રક્શનથી લઇને ડેકોરેશન સુધી વાસ્તુ શાસ્ત્રમાં ઘણી એવી વાતો જણાવવામાં આવી છે, જેનાથી માણસની સુખ-સમૃદ્ધીનું સીધુ કનેક્શન છે. વાસ્તુ મુજબ, ઘણી ચીજ વસ્તુઓને ઘરમાં રાખવી અપશુકન માનવામાં આવે છે. ઘરમાં રાખવામાં આવેલી આ વસ્તુઓને માણસના બેડ લક સાથે જોડવામાં આવે છે. આ ઘરમાં નકારાત્મક ઉર્જા લઇને આવે છે. આવો તમને આજે એવી ચીજ વસ્તુઓ અંગે જણાવીએ.
તમારા ઘરમાં આ પ્રકારની મૂર્તિઓ ના હોવી જોઈએ
ઘરમાં આ વસ્તુઓને માણસના બેડ લક સાથે જોડાય છે
આવા ચિત્રો અને તસ્વીરો ઘરમાં લાવે છે નકારાત્મક ઉર્જા
યુદ્ધના ચિત્ર
રામાયણથી લઇને મહાભારત સુધી, કોઈ પણ પ્રકારના યુદ્ધોના ચિત્ર ઘરમાં ના રાખવા જોઈએ. આ પ્રકારના ચિત્ર અથવા તસ્વીરો ઘરમાં હોવાથી પરિવારના સભ્યો વચ્ચે વેર વધે છે.
કૈક્ટસ અથવા કાંટેદાર પ્લાન્ટ
વાસ્તુ મુજબ, કૈક્ટસ અથવા કાંટાવાળા પ્લાન્ટ પણ ઘરમાં ના રાખવા જોઈએ. ગુલાબને છોડીને બીજા બધા કાંટાવાળા છોડને ઘરમાંથી બહાર રાખવા જોઈએ.
તસ્વીરોમાં નકારાત્મકતા
અમુક વિશેષ પ્રકારની તસ્વીરો પણ ઘરમાં ના રાખવી જોઈએ. જેમકે ફળ-ફૂલ વગરના વૃક્ષ, ડૂબતુ જહાજ, નગ્ન, યુદ્ધમાં લહેરાતી તલવાર, શિકારના દ્રશ્યો, ઈન્દ્રજાળ, કેદમાં રહેલો હાથી, ઉદાસ અથવા રડતા લોકોની તસ્વીરો પણ ઘરમાં ક્યારેય રાખવી ના જોઈએ.
તાજમહેલ
તાજમહેલનો કોઈ શોપીસ અથવા તસ્વીરો ઘરમાં ના રાખવી જોઈએ. આ એક કબર છે, અને તેને મૃત્યુ અને નિષ્ક્રિયતાનું પ્રતિક સમજવામાં આવે છે.
પ્રાણીઓના સ્ટેચ્યુ અને પેઈન્ટિંગ
ગેંડો, સાપ, ગધેડો, ઘુવડ, ચામાચીડિયુ, ગીધ, કાગડો અથવા કબૂતર જેવા કોઈ પણ પક્ષી અથવા પ્રાણીઓની તસ્વીરો અથવા સ્ટેચ્યુ ઘરમાં ના રાખવા જોઈએ. વાસ્તુ મુજબ, દંપત્તિના બેડરૂમમાં કોઈ પણ પ્રકારના પશુ-પક્ષીની પેઈન્ટિંગ ના હોવી જોઈએ.
દાનવ અથવા રાક્ષસ
લાકડી અથવા ધાતુમાંથી બનાવેલી ભયાનક દાનવ અથવા રાક્ષસની તસ્વીર અથવા મૂર્તિ ઘરમાં ના હોવી જોઈએ. વાઘ, વરુ, રીંછ, સિંહ અને શિયાળ જેવા જંગલી પ્રાણીઓની તસ્વીરો અને મૂર્તિઓ પણ ઘરમાં ના હોવી જોઈએ.