ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક દર્દનાક કિસ્સો જોવા મળ્યો છે. સડક કિનારે સૂતેલા શ્રદ્ધાળુઓને બસે કચડી નાંખ્યા હતા. આ ઘટનામાં સાત શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતા.વૈષ્ણોદેવી દર્શન કરીને શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન માટે જઈ રહ્યા હતા.
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં દર્દનાક કિસ્સો
રસ્તાની સાઈડમાં સૂતેલા શ્રદ્ધાળુઓને બસે કચડ્યા
7 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે મોત
નરૌરા ગંગાઘાટ પર બનેલા આ દર્દનાક બનાવમાં 7 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. મરનારામાં 4 મહિલા અને 3 માસૂમ બાળકોનો સમાવેશ થયો છે. મળતી માહિતિ અનુસાર તમામ શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીથી દર્શન કરીને ગંગા સ્નાન માટે હાથરસથી નરૌરા ઘાટ પર રસ્તાની સાઈડમાં સૂતા હતા. આ સમયે આ કરુણ ઘટના બની. 7 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા.
આ ઘટના બાદ આરોપી બસ ડ્રાઈવર ઘટનાસ્થળે બસ છોડીને ભાગી ગયો હતો. પોલીસને જાણ થતાં જ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવામાં આવી હતી. પોલીસના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. આખા કેસની સાથે બસ ડ્રાઈવરની પણ શોધખોળ ચાલુ છે.