બિહારમાં આજે માર્ગ અકસ્માતની ઘટના બનતા 7 લોકોના કમકમાટીભર્યા મોત તથા 12 લોકો ઘાયલ થયાં છે. ઘાયલોની સ્થિતિ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે, પહેલી ઘટના ગયા જિલ્લાના આમસની જીટી રોડ પર બિશનપુર નજીકની છે. જ્યાં પુરપારટ ઝડપથી આવી રહેલી ટ્રકે 2 ઓટો રિક્ષાને ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે, ઓટો રિક્ષાનો કુચ્ચો બોલી ગયો હતો અને તેમાં સવાર 7 લોકોના કમકમાટીભર્યા મોત થયાં હતા અને 12 લોકો ઘાયલ થયાં હતા. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની સ્થિતિ ગંભીર છે.
તિલક સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા લોકો
Bihar: Seven people killed & 12 others injured after a truck hit two autorickshaws they were travelling in near Vishunpur in Amas, Gaya earlier today. The injured people have been admitted to a hospital. pic.twitter.com/xCcyREvccI
પોલીસના જણાવ્યા મુજબ ગયાના રેગનીયા ગામના અનેક લોકો તેમની બે ઓટોમાં સવાર થઇને દેવ મંદિરથી એક તિલક સમારોહમાં ભાગ લીધા બાદ તેમના ગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે જ સામેની દિશાથી આવી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બિશુનપુરા ગામ નજીક બે ઓટોને ટક્કર મારી હતી.
આમસ પોલીસ સ્ટેશનના પ્રભારી અનિલકુમારસિંહે જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. ઘાયલ થયેલા ત્રણથી ચાર લોકોની હાલત ગંભીર છે. તેમણે કહ્યું, બધા મૃતકો રેગનીયા ગામના રહેવાસી હતા. આ બનાવ બાદ ટ્રક ચાલક ફરાર છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.