કાંગારૂ સામેની વન ડે મેચમાં હાર્દિક પંડ્યા કરશે કેપ્ટનશીપ. વન ડે મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી 7 ખેલાડીઓના નામ નક્કી છે, જ્યારે 4 ખેલાડીઓ માટે કોચ અને કેપ્ટને ખૂબ જ વિચાર કરવો પડશે.
17 માર્ચથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ રમાશે.
પ્લેઈંગ ઈલેવનમાંથી 7 ખેલાડીઓના નામ ફાઈનલ.
શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગની જવાબદારી સંભાળશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી 3 મેચની વન ડે સીરિઝ શરૂ થશે. પહેલી મેચ મુંબઈમાં રમવામાં આવશે. રોહિત શર્મા અંગત કારણોસર આ મેચમાંથી બહાર છે, હાર્દિક પંડ્યા ટીમની કેપ્ટનશીપ કરશે. પહેલી વન ડે મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી 7 ખેલાડીઓના નામ ફાઈનલ છે, જ્યારે 4 ખેલાડીઓ માટે કોચ અને કેપ્ટને ખૂબ જ વિચાર કરવો પડશે.
આ મેચમાં રોહિત શર્મા ના હોવાને કારણે શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગની જવાબદારી સંભાળશે. આ બંને યુવા ક્રિકેટરોએ અગાઉની સીરિઝમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું છે, બાંગ્લાદેશ સામેની મેચમાં ઈશાન કિશેને બેવડી સદી ફટકારી હતી અને શુભમન ગિલે ન્યુઝીલેન્ડ સામે બેવડી સદી ફટકારી હતી.
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ ટીમનો હિસ્સો છે. વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટમાં ધમાલ મચાવી છે, પહેલા T20 મેચ, વન ડે મેચ અને હવે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. વિરાટ કોહલી બાદ T20 મેચમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડી અને વન ડે મેચમાં જગ્યા બનાવવા માટે કોશિશ કરી રહેલ ખેલાડીઓ મેદાન પર ઉતરશે. શ્રેયસ અય્યરને ઈજા પહોંચવાને વન ડે સીરિઝમાં નહીં રમી શકે. સૂર્યકુમાર યાદવની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા પાક્કી જ છે.
હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરશે, તેથી તેમના નામનો વિચાર કરવાથી રહ્યો. મોહમ્મદ શમી બોલિંગ કરશે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ઓસ્ટ્રેલિયા સામેની વન ડે મેચમાં મોકો આપવામાં આવશે, તેમણે છેલ્લી કેટલીક સીરિઝમાં ધમાકેદાર પર્ફોર્મન્સ કર્યું છે. ICC વર્લ્ડ કપની તૈયારી કરી રહેલ મોહમ્મદ સિરાજને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવશે.
પ્લેઈંગ ઈલેવનમાં 4 જગ્યાઓ ખાલી છે, જેમાં સ્પિનર (1 જગ્યા) માટે કુલદીપ યાદવ અને યુજવેંદ્ર ચહલ વચ્ચે ટક્કર થશે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર ટીમમાં જગ્યા બનાવવા માટે ટક્કર થશે. અક્ષર પટેલે સારી બેટીંગ કરી હતી, પરંતુ વિકેટ લઈ શક્યા નહોતા. ફાસ્ટ બોલર માટે ઉમરાન મલિક અને જયદેવ ઉનડકટમાંથી કોની પસંદગી કરવી તે ખૂબ જ રસપ્રદ બાબત હશે. શાર્દુલ ઠાકુર અને કે. એલ. રાહુલમાંથી કોઈ એકને જગ્યા આપવામાં આવશે.