રાજસ્થાનના અજમેરમાં મોટી રોડ અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં 8 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, એક ખાનગી બસ અને ટ્રેલર ધડાકાભેર અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. જેના પગલે 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતા.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ માંગલિયાવાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને બસમાંથી બહાર કાઢવા માટે રાહત કામગીરી ચલાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે ઘાયલ થયેલા લોકોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે, માર્ગ અકસ્માતની આ ઘટનામાં 17 થી વધારો લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવેલ છે. નોંધનીય છે કે, જયપુરથી ગુજરાતના રાજકોટ માટે આ બસ રવાના થઇ હતી. આ ઘટના ટ્રેલર બસને ઓવરટેક કરવા ગયો ત્યારે બની હતી. ઘટનાની સુચના મળતા જ અજમેર એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રાથમિક જાણકારી મેળવી હતી.