કર્ણાટકના બેલાગાવીમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટનામાં કુલ 7 લોકોના મોત થયા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી બસવ રાજ બોમ્મઈએ મૃતકોના પરિવારને 5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
કર્ણાટકના બેલગવીમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી
મકાન ધરાશાયી થવાને કારણે 7 લોકોના મોત
મુખ્યમંત્રીએ 5-5 લાખની સહાય આપવાની કરી જાહેરાત
Karnataka | Seven people including two kids died in a house collapse incident due to heavy rain in Badala Ankalagi village, Belagavi at about 9 pm yesterday. CM Basavaraj Bommai has announced Rs 5 lakh compensation for the deceased's families. pic.twitter.com/HPUcII5GLq
કર્ણાટકમાં બારે વરસાદને કારણે બેલાગવી વિસ્તારમાં એક મકાન ધરાશાયી થઈ ગયું. આ ઘટનામાં બે બાળકો સહિત 7 લોકો ચકદાઈ ગયા જેના કારણે તેમનું કરૂણ મોત નિપજ્યું છે. બેલાગવીના બાદલ અંકાલગી ગામમાં આ બનાવ બન્યો છે. જેમા રાતે 9 વાગ્યાની આસપાસ મકાન ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે.
મૃતકોના પરિવારને 5 લાખની સહાય મળશે
મૃતકોના પરિવાર પર પણ જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં બાદ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ જે લોકોના મોત થયા છે. તેમના પરિવારને 5-5 લાખની સાહય આપવાની જાહેરાત કરી છે.
5 લોકોના ઘટના સ્થળે મોત
જે વિસ્તારમાં આ બનાવ બન્યો છે ત્યાના ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે ભારે વરસાદને કારણે મકાનની દિવાલ પડી ગઈ હતી. જે લોકો માર્યા ગયા તે પૈકી એક નવા શુશી પણ હતું. સમગ્ર મામલે પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા છે. સાથેજ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ આરંભી છે.
મુખ્યમંત્રીએ જીલ્લા પ્રભારીને આપ્યો આદેશ
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 7 પૈકી 5 લોકોના મોત ઘટના સ્થળેજ થઈ ગયા હતા. બાકી બે જણાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે મુખ્યમંત્રી બોમ્મઈએ જિલ્લા પ્રભારીને ઘટના સ્થળે જવા આદેશ આપ્યા હતા. સાથેજ ડેપ્યુટી પોલીસ કમિશનરને પણ જરૂરી પગલા લેવા માટે આદેશ આપ્યા હતા.