મોટાભાગના લોકો બચેલો ખોરાક ગરમ કરીને ખાતાં હોય છે. જેથી તે વેસ્ટ ન થાય. ઘરમાં બનેલો ખોરાક ગરમ કરીને ખાઈ શકાય છે. પણ કેટલીક વસ્તુઓ ફરી ગરમ કરીને ખાવાથી સખત નુકસાન કરે છે. ચાલો જાણીએ.
ભૂલથી પણ આ 7 વસ્તુઓ વારંવાર ગરમ કરીને ખાવી નહીં
ગંભીર નુકસાન પહોંચાડે છે આ વસ્તુઓ
મોટાભાગના લોકો વારંવાર ગરમ કરીને ખાય છે આ વસ્તુઓ
તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે વારંવાર ખાવાનું ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. પણ શું તમને ખબર છે કે તેમાથી કેટલાક ખોરાક તો એવા હોય છે જેને વારંવાર ગરમ કરવાથી થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે તે ઝેર બની જાય છે. સાથે જે તેના કારણે કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે. જેથી તમારે ચોક્કસ જાણી લેવું જોઈએ એવા ખોરાકો વિશે.
આ ખોરાક વારંવાર ગરમ કરવા નહીં
બટાકા
જ્યારે તમે બટાકાને અથવા તેમાંથી બનાવેલી કોઈ વસ્તુને લાંબા સમય સુધી ફ્રિઝમાં મૂકીને પછી ગરમ કરીને ખાઓ છો તો તેમાં રહેલાં પોષક તત્વો નષ્ટ થઈ જાય છે સાથે જ તે વિષાક્ત પદાર્થમાં બદલાઈ જાય છે. જેથી તમારા પેટને ભારે નુકસાન થઈ શકે છે. સાથે જ તેમાં botulism બેક્ટેરિયા પેદા થવા લાગે છે. તો આવું કરવાથી બચવું જોઈએ. બટાકાની વાનગીઓ તરત બનાવેલી જ ખાવી જોઈએ.
ચા પત્તી
દૂધવાળી ચા એકવાર બનાવીને પછી એ જ ચા પત્તીમાં વારંવાર ચા બનાવીને પીવાથી તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ ખતમ થઈ જાય છે અને સાથે જ તે હાનિકારક પણ થઈ જાય છે. આના કારણે એસિડિટી અને નબળાઈની સમસ્યા પણ વધે છે અને ઈમ્યૂનિટી પણ ઘટે છે.
નોનવેજ
નોનવેજ એવો ખોરાક છે જેને મોટાભાગે લોકો ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ આને ગરમ કરીને ખાવું સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક હોય છે કારણ કે તેમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે, જેને ઠંડું કર્યા પછી ગરમ કરીને ખાવાથી તે ટોક્સિનમાં બદલાઇ જાય છે અને પાચનતંત્ર માટે હાનિકારક સાબિત થાય છે. આમાં રહેલાં પ્રોટીનનું કોમ્પોઝિશન ગરમ કરવાથી કેન્સરનું જોખમ પણ વધે છે.
ઈંડા
જો તમે પણ ઈંડા ખાવાનું પસંદ કરો છો તો આ વાત ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે કે ઈંડામાંથી બનેલી કોઈપણ ડિશને બીજી વખત ગરમ કરીને ખાવી જોઈએ નહીં. હકીકતમાં ઈંડા બીજી વખત ગરમ કરવાથી ટોક્સિન રિલીઝ કરે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે પચવામાં પણ ભારે પડે છે. તેનાથી કેન્સરકારક તત્વો પણ ઉત્પન્ન થઈ શકે છે.
મશરૂમ
એવું કહેવાય છે કે મશરૂમ બનાવ્યા બાદ ગરમા ગરમ જ ખાઈ લેવા જોઈએ. તેને રાખીને મૂકીને ગરમ કરીને ફરી ખાવા જોઈએ નહીં. જો તમે મશરૂમની કોઈપણ વાનગી બનાવીને ફ્રિઝમાં રાખીને ગરમ કરીને ખાશો તો તેમાં ટોક્સિન પેદા થઈ જાય છે અને તેનાથી પેટ ખરાબ થઈ શકે છે અને તમે બીમાર પડી શકો છો.
પાલક
પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ તેને ગરમ કરીને ખાવાથી તે ઝેર બની જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પાલકને ફરીથી ગરમ કરીને ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાનો ખતરો રહે છે. હકીકતમાં પાલકમાં નાઇટ્રેટ હોય છે, જે ગરમ થવા પર હાનિકારક તત્વોમાં પરિવર્તિત થઈ જાય છે.
રાઈસ
મોટાભાગના લોકો ઠંડા ભાત ખાતા હોય છે, પણ તમને જણાવી દઈએ કે ભાતને ફરી ગરમ કરીને ખાવાથી ફૂડ પોઈઝનિંગનો ખતરો રહે છે. ભાતને વારંવાર ગરમ કરવાથી તેમાં રહેલાં હેલ્ધી બેક્ટેરિયા ખતમ થઈ જાય છે અને ટોક્સિન પેદા થાય છે. જેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.