રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા બે ગમખ્વાર અકસ્માતમાં કુલ સાત લોકોના મોત નિપજયાં છે. આ બે અકસ્માતમાં એક બનાસકાંઠામાં જ્યારે બીજો અમેરલીના લાઠી રોડ પર થયો હતો.
જેમાં બનાસકાંઠામાં થયેલા અકસ્માતમાં 4 લોકોના જ્યારે અમેરલીના લાઠી રોડ પરના અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે.
સૌરાષ્ટ્રના અમરેલીમાં લાઠી રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોનાં મોત થયા છે. કારમાં સવાર ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે.
જ્યારે કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો છે. આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળે ઉમટ્યા હતા અને લોકોએ પોલીસ તથા 108ને જાણ કરી હતી.
ત્યાર બાદ પોલીસ અને 108 એમ્બુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા અને કારમાંથી મૃતકોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે એક અન્ય અકસ્માત બનાસકાંઠામાં થયો હતો જેમાં 4 વ્યક્તિના મોત નિપજ્યા છે.બનાસકાંઠાના કૂચવાડા ટોલ ટેક્સ પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે.
જેમાં 4 વ્યક્તિના ઘટનાસ્થળે મોત થયા છે.જ્યારે 1 વ્યક્તિની હાલત ગંભીર છે. આ મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.