આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક હોટલમાં આગ લાગી. બનાવ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ હોટલનો ઉપયોગ કોવિડ સેન્ટર તરીકે થતો હતો.
આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક હોટલમાં આગ
કોવિડ સેન્ટર હોવાનું આવ્યું સામે
આગને પગલે 9 લોકોના મોત
નોંધનીય છે કે, હાલ લોકોને બચાવવાનું કામ થઈ રહ્યું છે. હોટલ ગોલ્ડન પેલેસમાં આ અકસ્માત થયો હતો. હોટેલમાં 40 લોકો હોવાના સમાચાર છે. તેમાં 30 કોરોના દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફના 10 લોકો છે. આગની ઘટનાને પગલે 9 લોકોનાં મોત નીપજ્યાં છે અને 15 લોકોનો બચાવ થયો છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ સાથે તેમણે આ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હોટલ ખાનગી હોસ્પિટલ દ્વારા ભાડે લેવામાં આવી હતી, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે કોરોના દર્દીઓને અહીં સારવાર માટે રાખવામાં આવ્યા છે.
જગનમોહન રેડ્ડી ઘટના પર રાખી રહ્યા છે નજર
મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી પોતે આ ઘટના પર નજર રાખી રહ્યા છે અને તેમણે વહીવટી તંત્રને ઘાયલ દર્દીઓને જરૂરી અને ઝડપી ઇલાજ મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
PM મોદીએ ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું
Anguished by the fire at a Covid Centre in Vijayawada. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover as soon as possible. Discussed the prevailing situation with AP CM @ysjagan Ji and assured all possible support.
તો આ ઘટનાને લઇન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તમામ મદદ માટે તૈયારી દર્શાવી છે અને તેમણે આ ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું છે. જો કે, આપને જણાવી દઇએ કે, હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને હાલ આ ઇમારત ખાલી કરી દેવાઇ છે.