કેન્દ્ર સરકારે વાજપેયીના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. સરકારી ઓફિસોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ રખાશે. આવતી કાલે દિલ્હીમાં સરકારી સ્કૂલ ઓફિસો પણ બંધ રહેશે.
જ્યારે શુક્રવારે એટલે કે આવતીકાલે 1:30 કલાકે તેમની અંતીમ યાત્રા કાઢવામાં આવશે. આ અંતિમ યાત્રા બીજેપી કચેરીથી સ્મૃતિ સ્થળ સુધી કાઢવામાં આવશે.
વાજપેયીના પાર્થિવ શરીરને સવારે 9 વાગ્યે બીજેપી હેડકચેરીએ લાવવામાં આવશે. અહીં તેમના પાર્થિવ શરીર સામાન્ય લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર સ્મૃતિ સ્થળ આસપાસ કરવામાં આવશે.
અટલ બિહારી વાજપેયીના પાર્થિવ શરીરને AIIMSથી કૃષ્ણા મેનન માર્ગ સ્થિત તેમના આવાસમાં લાવવામાં આવ્યું છે. આખી રાત સુધી તેઓનાં પાર્થિવ શરીરને નિવાસ પર જ રાખવામાં આવશે.
મહત્વનું છે કે બીજેપીનાં ઝંડાને પાર્ટી મુખ્યાલયમાં અડધો ઝુકાવી દેવામાં આવેલ છે. તમને જણાવી દઇયે કે વાજપેયીના નિધનબાદ રાજઘાટના શાંતિવન વિસ્તારમાં ભારે સંખ્યામાં સુરક્ષા બળો તૈનાત કરવામાં આવ્યા છે.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હવે આ દુનિયામાં નથી રહ્યા. નવી દિલ્હીની એમ્સમાં લાંબી સારવાર બાદ 93 વુર્ષની ઉંમરે એમનું નિધન થઇ ગયું છે. વાજપેયીના નિધનના સમાચાર સાંભળીને પૂરા દેશમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.