મધ્યપ્રદેશમાં સરકારી ઓફિસો 1 અઠવાડિયામાં 5 દિવસ ચાલુ રહેશે તથા શનિ અને રવિવારે બંધ રહેશે.
1 અઠવાડિયામાં પાંચ દિવસ ખુલ્લી રહેશે સરકારી ઓફિસો
શનિ-રવિ રહેશે બંધ
રવિવારે શહેરી વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન
મધ્યપ્રદેશમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને શિવરાજ સરકારે આ નિર્ણય લીધો છે. સીએમ શિવરાજ સિંહ ચોહાણની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે સોમવારથી શુક્રવાર સુધી સવારના 10 થી સાંજના 6 સુધી ઓફિસો ખુલશે તથા શનિવાર તથા રવિવારે બંધ રહેશે.
રાજ્યમાં દર રવિવારે લોકડાઉન લગાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
છિંદવાડામાં સાત દિવસનું લોકડાઉન
કોરોના કેસો વધી રહ્યાં હોવાથી છિંદવાડા જિલ્લામાં 8 એપ્રિલથી 7 દિવસ સુધી પૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. શાજાપુર શહેરમાં પણ બુધવાર રાતના 8થી બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની પણ જાહેરાત કરાવમાં આવી છે.
બેંગ્લુરમાં કલમ 144 લાગુ
દરેક રાજ્ય સરકાર કોરોનાના નાથવા માટે પોતપોતાની રીતે પગલાં ભરી રહી છે. તેમાં હવે વધુ એક રાજ્ય સરકારનો ઉમેરો થયો છે. કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે બેંગ્લુરમાં કલમ 144 લાગુ પાડી દીધી છે.
સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યમાં સ્વિમિંગ પુલ, જિમ, પાર્ટી પ્લોટ અને રહેણાંકના કોમ્પલેક્સના કામકાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બેંગ્લુરુ પોલીસ કમિશનર કમલ પંતે તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન, જાહેર મેળાવડા, કાર્યક્રમો તથા પ્રાર્થના પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ચંદીગઢમાં પણ નાઈટ કર્ફ્યુ
ચંદીગઢમાં પણ નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. પંજાબની અમરિન્દર સિંહ સરકાર દ્વારા જારી થયેલા આદેશાનુસર સમગ્ર રાજ્યમાં 30 એપ્રિલ સુધી રાતના 9 થી વહેલી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ અમલી રહેશે. રાજ્ય સરકારે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય મેળાવડા કે કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર રાજકીય નેતાઓ તથા લોકોની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એન્ડ એપિડેમિક્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરાશે.