બનાસકાંઠા: અંબાજીમાં હાલ ભાદરવી પૂનમના મેળાનું આયોજન થયું છે. આજે ભાદરવી પૂનમના મેળાનો ત્રીજો દિવસ છે. ત્યારે અંબાજીમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટ્યું છે. બે દિવસમાં સાત લાખથી પણ વધુ દર્શનાર્થીઓએ માતાના મંદિરમાં શિશ ઝુકાવ્યા.
ઉપરાંત મંદિરમાં બે દિવસમાં રૂ. 1 કરોડ 11 લાખથી પણ વધુનું દાન મળ્યું છે. તો મંદિરના અન્નક્ષેત્રમાં 83 હજાર 627 લોકોએ પ્રસાદનો પણ લ્હાવો લીધો છે. જો કે હજુ પણ પગપાળા યાત્રિઓ અને દર્શનાર્થીઓનો અવિરત પ્રવાહ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે મેળો હોવાથી રસ્તા પર પણ બોલ મારી અંબે જય જય અંબેના નાદ ગૂંજી રહ્યા છે. ત્યારે આગામી 25 સપ્ટેમ્બર સુધી ચાલનારા મેળામાં હજુ પણ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શયતા છે. જેના પગલે યાત્રાધામ અંબાજીમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે અંબાજીમાં ભક્તોનો મેળાવડો જામ્યો છે. ત્યારે આરતી માટે ભક્તોની લાંબી લાઈન લાગી છે. મા અંબાની એક ઝલક મેળવવા માટે ભક્તો પડાપડી કરી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. ત્યારે માંના ભક્તો વિશ્વના કોઈ પણ ખુણેથી મા અંબાના દર્શન કરી શકે અને ધન્ય થઇ શકે તે માટે સ્થાનિક મંદિર ટ્રસ્ટ દ્વાર વિશિષ્ટ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે ભાદરવી પુનમના મેળાના સાત દિવસ દરમિયાન ભક્તોમાં અંબાની આરતીના દર્શન ફેસબુક પર લાઈવ કરી શકશે. 1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...