પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ સંબંધે પંજાબના મોહાલીમાં એક પોસ્ટર જોવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે સીએમ અમદરિન્દરને મારવા પર 10 લાખ અમેરિકન ડોલરના ઈનામની પણ ઘોષણા કરવામાં આવી છે.
10 લાખ અમેરિકન ડોલરના ઈનામની જાહેરાત વાળું પોસ્ટર હતું
પંજાબ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી
પંજાબ ના મુખ્યમંત્રી અમરિન્દર સિંહને જાનથી મારી નાખવાની ધમકી વાળું એક પોસ્ટર મોહાલીમાં જોવા મળ્યું હતું જેમાં સીએમને મારવા પર 10 લાખ ડોલરના ઈનામની ઘોષણા કરવામાં આવી છે. આ ઘટના પછી પંજાબ સીએમ અમરિન્દર સિંહની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને વધુ ચોકસાઈ જાળવવામાં આવી રહી છે.
મોહાલી સિટી એસપીએ આપી જાણકારી
મોહાલી સિટી એસપી એ શનિવારે કહ્યું હતું કે પોલીસે આ મામલે ગુમનામ વ્યક્તિઓની સામે ફુનો દાખલ કરીને ફરિયાદ નોંધી છે અને તપાસ શરુ કરી દીધી છે. એક ગાઈડ મેપ પર આ પોસ્ટર મોહાલીમાં 31 ડિસેમ્બરના રોજ જોવામાં આવ્યું હતું અને આ મામલે પોલીસે આઇપીસીની કલમ 504, 506 અને 120 બી હેઠળ તપાસ શરુ કરી દીધી છે.
The poster was sighted on December 31. FIR has been registered under Sections 504, 506 & 120B of IPC and Sections 3, 4, 5 of Punjab Prevention of Defacement Property Ordinance Act, 1997: Mohali City SP (2/2) https://t.co/vSXt52Q751
આ મામલે પંજાબ પોલીસ હવે વધુ સ્ટાર્ક થઇ ગઈ છે અને વિશેષમાં સાયબર સેલની પણ મદદ લેવાઈ રહી છે. 31 ડિસેમ્બરની રાત્રે સેકટર 66/67 માં આ પોસ્ટર દેખાયાની વિગતો સામે આવી હતી.
પંજાબ ના ખેડૂતો મોદી સરકારની સામે આંદોલન કરી રહ્યા છે
પંજાબ ના સીએમને જાનથી મારી નાખવાની ધમકી વાળા પોસ્ટરની ઘટના તેવા સમયમાં સામે આવી છે જ્યારે કે રાજ્યના ખેડૂતો મોદી સરકાર સામે નવા કૃષિ કાયદા રદ્દ કરવાને લઈને ઉગ્ર આંદોલન કરી રહયા છે અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરે આ મામલે તેમનું સમર્થન કર્યું છે.