ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવાને બદલે વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે. ત્યારે એકવાર ફરી અમદાવાદ IIMમાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે.
અમદાવાદ IIMમાં ફરી નોંધાયા કોરોનાના નવા 7 કેસ
ગઈકાલે અમદાવાદમાં કોરોનાથી 2 વ્યક્તિઓના મૃત્યુ
SVP, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 35 દર્દીઓ સારવાર હેઠળ
IIMમાં છેલ્લા 2 દિવસમાં નોંધાયા કોરોનાના નવા 7 કેસ
ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ઘટી નથી રહ્યાં પરંતુ વધી રહ્યાં છે. ત્યારે ગઇકાલે શનિવારના રોજ રાજ્યમાં પોઝિટિવ કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 1012 કેસ સામે આવ્યા અને 2 લોકોના મોત થઇ ચૂક્યાં છે. એવામાં અમદાવાદ IIMમાં છેલ્લા 2 દિવસમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે.
SVP, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 35 દર્દીઓ સારવાર હેઠળ
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજ્યમાં 2 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં હતા. આ બંને વ્યક્તિઓ અમદાવાદની જ હતી. જેમાં નવરંગપુરાના એક 92 વર્ષીય વૃદ્ધા અને સરસપુરમાં રહેતા એક 63 વર્ષીય પુરૂષનું મૃત્યુ નિપજ્યું હતું. જેમાં શહેરમાંથી નવરંગપુરા, નારણપુરા, જોધપુર અને થલતેજ વિસ્તારમાંથી સૌથી વધારે કેસો આવી રહ્યાં છે. હાલમાં શહેરની SVP, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 35 દર્દીઓ સારવાર હેઠળ છે.
નોંધનીય છે કે, કોરોના ફરી ગુજરાતને અજગર ભરડામાં લઈ રહ્યો હોય તેમ પોઝીટીવ કેસોમાં આવતો ઉછાળો અટકવાનું નામ જ નથી લેતો. જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં આજે રાજ્યના આરોગ્ય તંત્રના ચોપડે એક હજારથી વધુ કોરોનાના નવા દર્દીઓ ઉમેરાયા છે. ત્યારે લોકોનાની સંભવિત ચોથી લહેરને રોકવા આરોગ્ય વિભાગ પણ ઉંધા માથે કામ કરી રહ્યું છે અને કોરોના વેકસીનેશન વધારવા સહિતની કાર્યવાહી કરી રહ્યું છે.
અમદાવાદમાં ગઇકાલે નિપજ્યાં હતા બેના મોત
જો મહાનગરોમાં કોરોના આતંકની વાત કરવામાં આવે તો ગઇકાલે અમદાવાદમાં નવા 312 કેસ ઉમેરાયા હતા અને બે લોકોના મોત થયા હતા. જ્યારે વડોદરામાં 79, સુરતમાં 48 અને ગાંધીનગરમાં 28 કેસ સામે આવ્યા હતા તથા રાજકોટમાં 23 અને ભાવનગરમાં 22 કેસ નોંધાયા હતા અને જામનગરમાં પણ 9 કેસ નોંધાયા હતા. બીજી તરફ જૂનાગઢ મનપા ગઇકાલે કોરોના કહેરથી બાકાત રહ્યું હતું.
ગઇકાલે રાજ્યમાં કુલ 1012 કેસ સામે આવ્યા
હવે જો જિલ્લાવાર વાત કરવામાં આવે તો મહેસાણામાં 99 કેસ આવ્યા હતા. જેમાં વધુમાં ગઇકાલે કચ્છમાં 37 કેસ, 28 જુલાઈએ 38 કેસ, 27 જુલાઈએ 46 કેસ નોંધાયા હતા. ત્યારે ગઇકાલે 52થી વધુ કેસ નોંધાયા હોવાથી કચ્છવાસીઓમાં ચિંતાવ્યાપી હતી. જ્યારે વડોદરામાં 44, ગાંધીનગરમાં 31 અને સાબરકાંઠામાં 30 કેસ સામે આવ્યા હતા. એજ રીતે અમરેલી અને સુરતમાં પણ 27 કેસ વધુમાં બનાસકાંઠામાં 19 કેસ નોંધાયા હતા. જ્યારે પાટણ અને રાજકોટમાં 18-18 કેસ સામે આવ્યા હતા. આમ, ગઇકાલે રાજ્યમાં કુલ 1012 કેસ સામે આવ્યા હતા.