સુરતમાં માનવતાનું ઉદાહરણ પૂરો પાડતું એક કિસ્સો સામે આવ્યો છે.એક મહિલાને બ્રેઈન ડેડ થયા બાદ તેમના પરિવારે જ્યારે મહિલાનાં અંગો દાન આપવા નિર્ણય કર્યો ત્યારે મહિલાનાં અંગો પાંચ દર્દીઓના જીવન જીવવામાં મદદરૂપ થયા.
મૂળ અમરેલીના પરિવારે મહિલાનાં અંગો દાન કરવા નિર્ણય લીધો
કીડની, લીવર અને આંખો ડોનેટ કરવામાં આવી
પાંચ દર્દીઓને ઉપયોગી થયા અંગો
પરિવારે એનજીઓથી સલાહ લઈને લીધો નિર્ણય
મૂળ અમરેલીના અને સુરતમાં રહેતા કાંતાબેન 69 વર્ષના હતા અને ગયા અઠવાડીયે ચાલુ ગાડીએ પડી જતાં તેમને માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી અને સુરતની ખાનગી હોસ્પિટલે તેમને બ્રેઈન ડેડ ઘોષિત કર્યા. કાંતાબેનનાં બાળકોએ તેમની કીડની, લીવર અને આંખો ડોનેટ કરવા સહમત થયા. 12મી નવેમ્બરે કાંતાબેનને બ્રેઈન ડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારે સુરતની એનજીઓ સાથે સલાહ લીધા બાદ તેમના અંગો દાન આપવાનો નિર્ણય લીધો.
ગંભીર ઈજાઓ બાદ બ્રેઈન ડેડની જાણ થઈ
કાંતાબેન જે સ્તુતિ રેસિડેન્સીનાં રહેવાસી હતા, તેઓ 9મી નવેમ્બર બ્લડ ટેસ્ટ માટે લેબોરેટરી ગયા. જે બાદ તેઓ જ્યારે ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે ચાલુ ટૂ-વ્હિલરથી નીચે પડી ગયા જે બાદ તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેમનું જ્યારે CT સ્કેન કરવામાં આવ્યા બાદ જાણ થઇ કે તેમને બ્રેઈન ડેડ થયેલ છે.તુરત જ તેમના પરિવારે શહેરના એક એનજીઓનો સંપર્ક કર્યો.
આંખોને શહેરમાં સ્થિત લોક દ્રષ્ટિ આઈ બેંકને દાનમાં આપવામાં આવી
એનજીઓનાં અધિકારીઓએ કહ્યું કે ડૉ. પ્રાંજલ મોદીએ પરવાનગી મળ્યા બાદ પરિવાર સાથે ચર્ચા કરી હતી. તેમની કીડની અને લીવર અમદાવાદનાં ઇન્સ્ટીટયુટ ઓફ કીડની ડીસીસ એન્ડ રીસર્ચ સેન્ટરને આપવામાં આવી જે બાદ તે અંગો ત્રણ દર્દીઓને ઉપયોગી થયા અને તેમને જીવનદાન મળ્યું. તેમની આંખોને શહેરમાં સ્થિત લોક દ્રષ્ટિ આઈ બેંકને દાનમાં આપવામાં આવી.