જામનગરના ગ્રામ્ય પંથકમાં તબાહી સર્જતા વરસાદે છેલ્લા 24 કલાકમાં 20 ઈંચથી વધુ પાણી ધરબી દેતા ખાના-ખરાબીની સ્થિતિ.સડક- ,રેલ માર્ગ પ્રભાવિત
રાજકોટ-જામનગર વ્યવહાર ઠપ
રેલવે વ્યવહાર પણ બાધિત
જામનગરમાં ફાટ્યું આભ -જનજીવન તબાહ
જામનગર જિલ્લામાં વરસાદે તબાહી સર્જી દીધી છે.પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ખાના-ખરાબી સર્જાઈ હોવાની પણ આશંકા છે.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો જળબમ્બાકાર થયા હોવાથી સામાન્ય વર્ગમાં રહેતા લોકો ભારે પરેશાન છે.દરમિયાન સ્થાનિક પ્રસાશન અને વહીવટી તંત્રએ જામનગર જિલાના નાગરિકોને કોઈ પણ પ્રકારની મદદ માટે સ્થાનિક નબર જાહેર કર્યા છે.જેઓ પાણીમાં ફસાયા છે અને મદદની આવશ્યકતા છે તેઓ પોતાની વ્યથા,મુશ્કેલી તાલુકા પરાણે આપેલા નંબર પર ફોન કરીને જણાવી શકે છે.વહીવટી તંત્ર તેઓની મુશ્કેલીઓ હળવી કરવા પ્રયત્ન કરશે અને પાણીમાં ફસાયેલા નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરશે
રાજકોટ જામનગરના રસ્તાઓ બંધ
રાજકોટથી જામનગર જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. મેટોડા નજીક રોડ પર પાણી ભરાઇ ગયા જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. સાથે જ અટવાયેલા વાહનોનો પણ જમાવડો પણ અહીયા જોવા મળી રહ્યો. ભારે વરસાદને કારણે વર્ષો પછી જામનગરમાં આવી સ્થિતી સર્જાઈ છે.
મોટી બાણુંગાર ગામમાં 20 ઈંચ વરસાદ
બીજી તરફ મોટી બાણુંગાર ગામમાં પણ એક રાતમાં 20 ઇંચથી વધુ વરસાદ પડતા ગામ બેટમાં ફેરવાયું છે. ગામના તમામ રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. અતિભારે વરસાદના કારણે ગામમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. કોની ઘરવખરી અને સામાન પલળી ગયો છે. તો બીજી ગામ લોકોનું રેસ્ક્યૂ કરવા તંત્રએ કવાયત શરૂ કરી છે. NDRFની ટીમ રવાના કરવામાં આવી છે...ભારે વરસાદથી ગામમાં અનેક લોકો ફસાયા છે.
રેલ્વે વ્યવહાર પણ ઠપ
જિલ્લાના ફલા ગામ સહિત અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા.ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ભારે વરસાદને કારણે અલિયાબાડા અને વંથલી વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાયો. જેના કારણે ટ્રેન ટ્રેન વ્યવહાર રોકી દેવાયો કારણકે રેલવે ટ્રેક ઉપર ફરી વળ્યા પાણી.