રાજ્યમાં કોરોનાના વધુ 67 કેસ નોંધાયા.તો કોરોનાને માત આપીને 22 દર્દી ડિસ્ચાર્જ.કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 417. રાજ્યમાં 8 દર્દી વેન્ટીલેટર પર. અમદાવાદમાં સૌથી વધુ 25 કેસ.
કોરોનાનો આંક દબાતે પગલે મોટો થતો જાય છે
રાજ્યમાં 67 કેસથી નાગરિકોમાં ભયનું લખલખું
અમદાવાદ સૌથી વધુ 25 કેસ સાથે મોખરે રહ્યું
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો છે. રાજ્યમાં કોરોનાના વધુ 67 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને માત આપીને 22 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 417 થઈ છે. જયારે કોરોનાગ્રસ્ત 8 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. રાજ્યભરમાં અત્યાર સુધી 10 હજાર 95 મૃત્યુ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 8 હજાર 17361 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.73 ટકા છે. અમદાવાદમાં આજે સૌથી વધુ 25 કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં 15 કેસ, જામનગરમાં 7 કેસ દાખલ થયા છે. જયારે વડોદરામાં 8 કેસ, બનાસકાંઠામાં 3 કેસ, વલસાડમાં 3 કેસ કચ્છમાં 2 કેસ, નવસારીમાં 2 કેસ, તાપીમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યભરમાં 3.35 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.38 કરોડથી વધુ ડોઝ અપાયા છે.