લોકસભા ચૂંટણીમાં બીજી વખત બહુમતી મેળવનાર નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી પદના શપથ લેવાના છે. શપથ ગ્રહણની મોટાભાગની તૈયારીઓ પૂરી થઈ છે. આ વખતે મોદીનો શપથ ગ્રહણ સમારોહ પહેલાં કરતાં પણ ભવ્ય હશે. પ્રધાનમંત્રી આ વખતે શપથ ગ્રહણ સમારોહમાં BIMSTEC દેશના પ્રમુખને આમંત્રણ આપ્યું છે. આ શપથ ગ્રહણ સમારોહમાં અંદાજે 6,500 મહેમાન સામેલ થવાનો અંદાજ છે.
લોકસભા ચૂંટણીમાં બીજી વખત બહુમતી મેળવનાર નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી પદના શપથ લેવાના છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ભવ્ય શપથ સમારોહ રાખવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભ રાષ્ટ્રપતિ ભવનના હોલમા રખાયો છે.
જે રાષ્ટ્રપતિ ભવનના મેઈન ગેટ અને મેઈન બિલ્ડિંગની વચ્ચેનો શાનદાર રસ્તો છે. આ જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનમાં આવતા મહેમાનો, સરકારના ખાસ લોકો અને ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ ચોથી વખત રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ ગ્રહણ સમારોહ થઈ રહ્યો છે. 2014માં પણ મોદીના પહેલા કાર્યકાળ માટે આ જગ્યાનો જ ઉપયોગ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ સમારોહમાં અંદાજે 6500 મહેમાન હાજર રહેશે. 2014માં નરેન્દ્ર મોદીના શપથમાં અંદાજે 5,000 મહેમાનો હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના શપથ સમારોહમાં માત્ર વિદેશના જ નહીં પરંતુ દેશના પણ ઘણા નેતાઓ હાજર રહેવાના છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, તેલંગાણાના સીએમ કેસીઆર, ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક, દિલ્હીના અરવિંદ કેજરીવાલ સહિત ઘણાં નેતા હાજર રહેશે .મમતા બેનરજી પહેલા આવવાના હતા પરંતુ હવે તેમણે સમારંભમાં હાજર નહી રહેવાનો પત્ર લખ્યો છે.
આ વખતે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં સાર્ક દેશોને છોડીને BIMSTEC દેશોના મુખ્ય નેતાઓને આમંત્રણ અપાયું છે. સૂત્રોના જણાવ્યાનુસાર નેપાળ-ભૂટાન-મોરેશિયસના પ્રધાનમંત્રી, શ્રીલંકા-બાંગ્લાદેશ-મ્યાનમારના રાષ્ટ્રપતિ, થાઈલેન્ડના પ્રમુખ પણ શપથ ગ્રહણમાં સામેલ થશે.
ગઈ વખતે સાર્ક દેશોના પ્રમુખ પ્રધાનમંત્રી મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.તેમાં પાકિસ્તાન પણ સામેલ હતુ આ વખતે મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રીને આમંત્રણ આપ્યું નથી.