અમદાવાદના વસ્ત્રાપુરમાં 65 લાખના પોલીસ તોડકાંડ કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાના છેડા છેકથી છેક સુધી પહોંચ્યા છે.
અમદાવાદના વસ્ત્રાપુરમાં 65 લાખ તોડકાંડનો મામલો
ક્રિકેટ સટ્ટાના આરોપી ધવલ શાહ અને સૌરભ ભૂગર્ભમાં
સૌરભ પંજાબ ભાગી ગયો હોવાની શક્યતા
અમદાવાદના વસ્ત્રાપુરમાં 65 લાખ તોડકાંડનો મામલો સામે આવ્યો છે. ક્રિકેટ સટ્ટાના આરોપી ધવલ શાહ અને સૌરભ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સૌરભ પંજાબ ભાગી ગયો હોવાની શક્યતા છે.
આરોપીઓને નિવેદન લખાવવા હાજર થવા નોટિસ આપી છે. તોડકાંડમાં ક્રાઇમબ્રાન્ચે PSI સહિત 7ના નિવેદન નોંધાયા છે. ક્રાઇમબ્રાન્ચની એક ટીમ પંજાબમાં તપાસ માટે જશે. આરોપીઓના નિવેદન પર ક્રાઇમ બ્રાન્ચની તપાસ અટકી ગઈ છે. PI વાય.બી.જાડેજાને કોરોના થતા 14 દિવસ બાદ નિવેદન લેવાશે.