પાકિસ્તાનમાં મંગળવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, પંજાબ સહિત અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થયા છે જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનમાં ભૂકંપના કારણે 31 લોકોનાં મોત
PM મોદીએ ભૂકંપ પરની જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું
પાકિસ્તાનમાં ભૂકંપને લઇને જોવા મળી તબાહી
મંગળવારે આવેલા ભૂકંપને લઇને પાકિસ્તાનમાં ભારે તબાહી જોવા મળી છે. આ કુદરતી આફતના કારણે પાકિસ્તાન અને PoKમાં અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 300થી વધારે લોકોને ઇજા પહોંચી છે. આ અંગેની પુષ્ટી પાકિસ્તાનના ગૃહ વિભાગે કરી છે.
પાકિસ્તાનમાં ભૂકંપની સૌથી વધારે તબાહી PoKમાં થઇ
પાકિસ્તાનમાં ગઇકાલે આવેલા ભૂકંપથી સૌથી વધારે નુકસાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જોવા મળ્યું છે. અહીં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 જોવા મળી હતી.
PoKના મીરપુરમાં સૌથી વધુ મોત થયા
ભૂકંપના કારણે PoKના મીરપુરમાં સૌથી વધુ મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં મીરપુરમાં જ 26 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જેમાં આ વિસ્તારના જતલાન નામના ગામમાં 10 લોકોના મોત થયા.
PM @narendramodi has expressed grief on the loss of lives and damage to property due to an earthquake in parts of India and Pakistan.
PM expresses condolences to the families of the deceased and prays for the speedy recovery of those injured.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપને લઇને દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પાકિસ્તાનમાં આવેલા ભૂકંપના કારણે થયેલી જાનહાનિ તેમજ સંપત્તિમાં થયેલ નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ભૂકંપના કારણે 31 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 300થી વધારે ઘાયલ થયા છે. પીએમઓએ ટવિટ કરી કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-પાકિસ્તાનના કેટલાંક ભાગમાં આવેલા ભૂકંપના કારણે થયેલી જાનહાનિ તેમજ સંપત્તિના નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે.