રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. ભૂંકપના કારણે પાકિસ્તાનમાં ભારે તબાહીના સમાચાર સામે આવી રહ્યા છે. ભૂકંપના કારણે પાંચ લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ભૂકંપનો ઝટકો 4 વાગ્યે 35 મિનિટે અનુભવાયો છે.
ભૂકંપથી PoKમાં ભારે તબાહી
5 લોકોના મોતના સમાચાર, 50 ઇજાગ્રસ્ત
દિલ્હીમાં પણ અનુભવાયા આંચકા
ભૂકંપનો ઝટકો અનુભવાતા જ લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને તેઓ પોતાના ઘર અને ઓફિસોની બહાર નીકળી ગયા.
જોકે પાકિસ્તાનના મીરપુરમાં ભૂકંપના ભારે આંચકાઓના કારણે કેટલીક ઇમારતો ધરાશાયી થવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. પીઓકેમાં ભૂકંપના કારણે 68 લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયાના સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાનમાં કેટલીક જગ્યાઓમાં રોડમાં મોટી તિરાડો પણ નજરે આવવા લાગી છે.
Powerful earthquake jolted several parts of Punjab, KP and Kashmir.
According to the US Geological Survey (USGS), the 5.8-magnitude earthquake struck at a shallow depth of 10 kilometers with its epicenter lying 1km southeast of Mirpur, Azad Jammu and Kashmir pic.twitter.com/8f3IfX4Q7t
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે, જેનું કેન્દ્ર પીઓકેના જાટલાનની પાસે જણાવાય રહ્યું છે. આ જગ્યા લાહોરથી અંદાજિત 173 કિલોમીટર દૂર હતું. ભૂકંપના ઝટકા હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર, હિમાચલ પ્રદેશની અલગ અલગ જગ્યાઓ પર પણ અનુભવાયા છે.
અત્યાર સુધી ભૂકંપથી ભારતમાં જાનમાલને કોઇ નુકસાનના કોઇ સમાચાર સામે નથી આવ્યા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ PoKના જાટલાન વિસ્તાર જણાવાય રહ્યું છે. આ વિસ્તારથી જોડાયેલ જમ્મૂ કાશ્મીરમાં પણ ભૂકંપની અસર વધુ જોવા મળી છે.
જોકે જમ્મૂ કાશ્મીર પોલીસના જીડીએ સ્પષ્ટ કર્યું છે કે જમ્મૂ કાશ્મીરમાં ભૂંકપથી અત્યાર સુધીમાં કોઇ નુકસાન થવાના સમાચાર નથી સામે આવ્યા.
પીઓકેમાં ભૂકંપના કારણે તબાહી મચી છે જેમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતના સમાચાર મળ્યા છે. ત્યારે રોડ વચ્ચેથી ફાટી ગયો છે. ગાડીઓ પલટી ગઇ છે.