એક રિપોર્ટ અનુસાર ભારતના એક ટકા ધનવાનો પાસે 70 ટકા વસ્તી (અંદાજે 953 મિલિયન) ની કુલ સંપત્તિ કરતાં 4 ગણું ધન છે. રિપોર્ટમાં એ પણ જણાવામાં આવ્યું છે કે દેશના 63 અરબપતિઓ પાસે બજેટ કરતાં પણ વધુ ધન છે.
દેશના અમીરો પાસે 70 ટકા વસ્તીની સરખામણીએ ચાર ગણુ ધન
દેશના 63 અરબપતિ પાસે દેશના બજેટ કરતાં વધારે રૂપિયા
છેલ્લા દાયકામાં અરબપતિઓની સંખ્યામાં તેજી આવી
2018-19માં ભારતનું બજેટ 24 લાખ 42 હજાર 200 કરોડ રૂપિયા હતું. દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમમાં ઓક્સફેમ (Oxfam) દ્વારા પોતાના રિપોર્ટ 'ટામ ટૂ કેયર' માં જણાવામાં આવ્યું છે કે વિશ્વના 2153 અરબપતિઓ પાસે 4.6 અરબ લોકો (વિશ્વની જનસંખ્યાના 60 ટકા)ની સરખામણીએ વધારે સંપત્તિ છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં આર્થિક અસમાનતા ઘણી ઝડપથી ફેલાઇ રહી છે. ધનવાનો બહુ ઝડપથી અમીર બની રહ્યાં છે. છેલ્લા એક દાયકામાં અરબપતિઓની સંખ્યામાં ઘણી ઝડપ આવી છે. જો કે ગત 2019માં તેમની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે.
ઓક્સફેમ (Oxfam) ઇંડિયાના CEO અમિતાભ બેહરના જણાવ્યા અનુસાર અમીર અને ગરીબ વચ્ચે વધતી ખાઇ ત્યાં સુધી ઓછી નહીં થાય, જ્યાં સુધી સરકાર તરફથી તેમને લઇને કોઇ પગલા લેવામાં નહી આવે. અમિતાભે કહ્યું કે અસમાનતા દૂર કરવા માટે સરકારે ગરીબોને લઇને વિશેષ નીતિઓ અમલમાં લાવવી જોઇએ.
રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે અસમાનતાને લઇને ચિંતા લગભગ દરેક મહાદ્વીપમાં સામાજિક અશાંતિ દર્શાવી રહી છે. જો કે આ અલગ-અલગ કારણો જેવા કે ભ્રષ્ટાચાર, બંધારણીય ઉલ્લંઘન અથવા બુનિયાદી વસ્તુઓ અન સેવાઓ માટે કિંમતોમાં આવેલ વૃદ્ધિથી પ્રભાવિત હોય છે.